બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:32 PM, 6 May 2026
મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ઇજાના કારણે છેલ્લા 5 મેચ રમ્યા ન હતા પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેમણે જોરદાર વાપસી કરી. આ મેચમાં લખનઉએ 229 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. તેનો પીછો કરતાં રોહિત શર્માએ માત્ર 44 બોલમાં 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેમની આ પારીના કારણે મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવી દીધું.
ADVERTISEMENT
મેચ પછી લખનઉના માલિક સંજીવ ગોયનકા અને રોહિત શર્માની મુલાકાત ચર્ચામાં આવી ગઈ. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે જેમાં બંને હાથ મિલાવતા જોવા મળે છે. આ ફોટો જોયા પછી ફેન્સે માંગ કરી કે આગામી સીઝનમાં રોહિત શર્માને 50 કરોડ રૂપિયામાં ખરીદવા જોઈએ.
ADVERTISEMENT
હાલમાં ઋષભ પંત ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે પરંતુ ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે. લખનઉ સુપર જાયન્ટ્સ અંક ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા સ્થાને છે. આ સ્થિતિને કારણે ટીમના ફેન્સમાં નિરાશા છે. ઘણા ફેન્સ આશા રાખી રહ્યા છે કે કોઈ રીતે રોહિત શર્માને ટીમમાં લાવવામાં આવે. તેમનું માનવું છે કે જો રોહિત શર્મા કેપ્ટન બને તો ટીમ મજબૂત બની શકે છે અને ટ્રોફી જીતવાનું સપનું પણ પૂરો થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 44 ચોગ્ગા-24 છગ્ગા ફટકારી આ બેટ્સમેને IPL માં મચાવ્યો તરખાટ, પહોંચ્યો ઓરેન્જ કેપની રેસમાં
ADVERTISEMENT
LSG સામે જીત પછી મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. હવે તેમને બાકીના બધી ચારેય મેચ જીતવી પડશે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (10 મે), પંજાબ કિંગ્સ (14 મે), કોલકાતા નાઈટ રાઈડર્સ (20 મે) અને રાજસ્થાન રોયલ્સ (24 મે) સામે રમાશે. સાથે સાથે મુંબઈ માટે એ પણ જરૂરી છે કે પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમો ઓછામાં ઓછા 16 અથવા તેથી વધુ પોઈન્ટ લઈને ટોપ-3માં પહોંચી જાય જેથી સ્થિતિ સ્પષ્ટ બને. હાલ સૌથી મોટી ચિંતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ છે જેમના 12-12 પોઈન્ટ છે. મુંબઈ ઈચ્છશે કે આ બંને ટીમો પોતાની આવનારી મેચ હારે,જેથી તેમની પ્લેઓફની આશા ચાલુ રહી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.