ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / 'મારાથી ભૂલ થઈ ગઈ...' પૂર્વ ભારતીય દિગ્ગજે વિરાટ વિશે કહી એવી વાત કે હવે પસ્તાવોનો વારો
Last Updated: 04:53 PM, 2 September 2025
ADVERTISEMENT
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાને હવે વિરાટ કોહલી વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પોતાની ભૂલનો અહેસાસ થયો છે . ઉથપ્પાએ સ્વીકાર્યું કે આ નિવેદનથી વિરાટ સાથેના તેમના સંબંધો પર પણ અસર પડી છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનરના મતે, તેમને જે કંઈ પણ કહ્યું, તે કહેતા કે કરતા પહેલા તેમણે વિરાટ સાથે વાત કરવી જોઈતી હતી. પરંતુ, તેમને એવું ન કર્યું. રોબિન ઉથપ્પાનું વિરાટ વિશેનું વિવાદાસ્પદ નિવેદન 2019ના વર્લ્ડ કપમાં નંબર 4 પર રમનાર ખેલાડી વિશે છે.
ADVERTISEMENT
ઉથપ્પાએ વિરાટ વિશે શું કહ્યું?
રોબિન ઉથપ્પાએ લલન્ટોપને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો વિરાટ કોહલી કોઈને પસંદ ન કરે, તો તે તેની નજરમાં સારો નથી. રાયડુ તેનું સારું ઉદાહરણ છે. તેણે કહ્યું કે કોઈને પસંદ અને નાપસંદ કરવું ખોટું નથી. પરંતુ અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ, જેમને તમે વર્લ્ડ કપની નજીક લાવો છો અને પછી કાઢી નાખો છો, તે યોગ્ય નથી. ઉથપ્પાએ કહ્યું હતું કે રાયડુ પાસે વર્લ્ડ કપ માટેના કપડાં હતા. તેની પાસે તેની કીટ બેગ હતી. આવી સ્થિતિમાં, તે વિચારી રહ્યો હશે કે તે વર્લ્ડ કપ રમવાનો છે પરંતુ પછી અચાનક તેને બહાર કરી દેવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: જસપ્રીત બુમરાહને BCCI આપશે રૂપિયા 18 કરોડ? પૂર્વ બોલિંગ કોચના નિવેદનથી ચર્ચા
પોતાની ભૂલ સમજાયા પછી ઉથપ્પાએ શું કહ્યું?
ADVERTISEMENT
રોબિન ઉથપ્પાને હવે તે નિવેદન અંગે પોતાની ભૂલનો અહેસાસ થયો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના કારણે વિરાટ સાથેના તેના સંબંધો પર અસર પડી છે. તેણે સ્વીકાર્યું કે મેં 2019ના ODI વર્લ્ડ કપ દરમિયાન મારા મિત્ર અંબાતી રાયડુ સાથે શું થઈ રહ્યું હતું તે જોયું અને સમજ્યું, પરંતુ વિરાટ સાથે વાત કરી નહીં. મારે આ વિશે વિરાટ સાથે વાત કરવી જોઈતી હતી. આ ફક્ત તેના નેતૃત્વનો જ નહીં પરંતુ તેની કેપ્ટનશીપ શૈલીનો પણ મુદ્દો હતો. દરેકની કેપ્ટનશીપની પોતાની શૈલી હોય છે. તેની પોતાની સમજણ હોય છે.

ADVERTISEMENT
ઉથપ્પાએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય ટેલિવિઝન પર વિરાટ વિશે કંઈપણ કહેતા પહેલા મારે તેની સાથે વાત કરવી જોઈતી હતી. મને લાગે છે કે જો મેં આવું કર્યું હોત, તો તે આપણા સંબંધો માટે વધુ સારું હોત.
સંકળાયેલા મુદ્દાઓ