બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Road show of death! Former CM Naidu's rally in second stampede, 3 dead, first 9 killed
Vishal Khamar
Last Updated: 09:06 PM, 1 January 2023
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં ફરી એકવાર નાસભાગ. ગુંટુરમાં રેલી દરમિયાન નાસભાગમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિ ઘાયલ છે.તાજેતરમાં 28 ડિસેમ્બરના રોજ કંદુકુરમાં નાયડુની રેલીમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં 8 લોકોના મોત થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુની રેલી ગુંટુરના વિકાસ નગર પહોંચી હતી. અહીં સંક્રાંતિ ભેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે છેલ્લા 10 દિવસથી TDP નેતાઓના પ્રચારને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં ભાગ લેવા લાગી છે.
આ ઘટના 28 ડિસેમ્બરની સાંજે બની હતી. ચંદ્રબાબુ નાયડુ કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો ગુડમ ગટર કેનાલને પાર કરી રહ્યો હતો ત્યારે ઘણા કામદારો કેનાલમાં પડ્યા હતા. જેના કારણે ત્રણ લોકોનું ગૂંગળામણથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બે લોકોનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું. આ સિવાય બાકીના લોકોનું પાછળથી મોત થયું હતું.
Andhra Pradesh | Three people died and several were injured during a public meeting held by TDP leader N Chandrababu Naidu in Guntur district: Arif Hafeez, SP Guntur
— ANI (@ANI) January 1, 2023
8 people died recently in a stampede in Nellore during a public meeting by N Chandrababu Naidu. pic.twitter.com/9N1aU1gcjd
રોડ-શો માં ધક્કા મુક્કી થતા સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ધક્કા-મુક્કી શરૂ કરી દીધી હતી, જેના કારણે કેનાલમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘણા લોકો કેનાલમાં પડી ગયા હતા. નાયડુએ અકસ્માત બાદ તરત જ તેમની મીટિંગ રદ કરી દીધી હતી. તેમણે મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષના નેતાઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા પણ કહ્યું.
પ્રવાસ દરમ્યાન ખેડૂતો સાથે વાતચીત કરી
જણાવી દઈએ કે ચંદ્રબાબુ નાયડુ 28 થી 30 ડિસેમ્બર સુધી નેલ્લોર જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસ પર હતા. આ દરમિયાન, તેમણે જિલ્લાના કંદુકુર, કાવલી અને કોવુર મતવિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે તાજેતરમાં કંદુકુરમાં ચક્રવાત મંડૌસના કારણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime