બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:13 PM, 14 January 2020
ADVERTISEMENT
અંતિમ સંસ્કાર દિલ્હીમાં થશે
ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં લગભગ 1.30 વાગે લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. ઋતુ નંદાનાં નિધનના સમાચાર અમિતભ બચ્ચને પણ પોતાનાં બ્લોગ પર શેર કરતાં લખ્યું હતું કે, 'મેરી સમધન, ઋતુ નંદા, શ્વેતાનાં સાસુ માનું આજે સવારે 1.15 વાગે નિધન થયું છે.'
ADVERTISEMENT
ADVERTISEMENT
ઋષિ કપુરની દીકરી રિદ્ધિમા સાહની કપૂરે કહ્યું આમ
ADVERTISEMENT
ઋષિ કપુરની દીકરી રિદ્ધિમા સાહની કપૂરે પણ ઋતુ નંદાનાનાં નિધનને લઈને ઈન્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની ફોઈનો ફોટો શેર કર્યો હતો. રિદ્ધિમાં કપૂરે લખ્યુ હતું કે, 'અત્યાર સુધી જેને પણ મળી છું તેમાં સૌથી વધારે દયાળુ વ્યક્તિ હતાં. તે(ઈશ્વર) તમારા જેવા બીજા કોઈને નથી બનાવી રહ્યાં. તમારી આત્માને શાંતિ મળે.
ઋતુ નંદા ઈશ્યોરેન્સ સર્વિસિસ'નાં ચેરવુમન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતાં
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રાજ કપૂરની મોટી દીકરી ઋતુ નંદા 'ઋતુ નંદા ઈશ્યોરેન્સ સર્વિસિસ'નાં ચેરવુમન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતાં. તેઓ ભારતીય જીવન વીમા નિગમ તરફથી બ્રાન્ડ અને બેસ્ટ ઈશ્યોરન્સ એડવાઈઝર ઓફ ધ ડિકેડના એવોર્ડથી સન્માની થઈ ચુક્યાં હતાં. મહત્વની વાત એ છે કે ઋતુ નંદાએ એક દિવસમાં લગભગ 17 હજાર પેન્શન પોલિસી વેચીને ગિનીજ બુક ઓફ રિકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.