બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / મનોરંજન / બોલિવૂડ / Riots in Madhya Pradesh for The Kerala Story film, The demand for tax free
Megha
Last Updated: 04:07 PM, 4 May 2023
કેરળની ચાર કોલેજ જતી ચાર યુવતીઓ પર બનેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં, ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને આ ફિલ્મને કરમુક્ત બનાવવાની માંગ કરી છે. આ સાથે જ હિન્દુવાદી સંગઠન સંસ્કૃતિ બચાવો મંચે ફિલ્મનો વિરોધ કરનારાઓ સામે લડવા માટે કહ્યું છે.
#TheKeralaStoryTrailer pic.twitter.com/82oTB4CWzn
— Adah Sharma (@adah_sharma) April 26, 2023
ફિલ્મને ટેક્સ ફ્રી કરાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
જણાવી દઈએ કે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી રાહુલ કોઠારીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને 'ધ કેરલા સ્ટોરી'ને કરમુક્ત બનાવવા માટે જણાવ્યું છે. રાહુલ કોઠારીના પત્ર અનુસાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અને તેમની મજબૂત ઈચ્છાશક્તિના કારણે મધ્યપ્રદેશે દીકરીઓના સંદર્ભમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે, જેના કારણે મધ્ય પ્રદેશ લવ જેહાદના મામલાથી પણ સુરક્ષિત છે. આ વિષય પર ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મહિલાઓને લવ જેહાદનો ભોગ બનવાના નુકસાનકારક પરિણામો વિશે સંદેશ આપી રહી છે, તેથી આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવી જોઈએ.
સંસ્કૃતિ બચાઓ મંચે આપ્યો સ્પોર્ટ
બીજી તરફ સંસ્કૃતિ બચાવો મંચના પ્રમુખ ચંદ્રશેખર તિવારીએ આ ફિલ્મને કરમુક્ત બનાવવાની મુખ્યમંત્રી પાસે માગણી કરતાં ફિલ્મનો વિરોધ કરનારાઓને ચેતવણી આપી હતી. ચંદ્રશેખર તિવારીના મતે કોંગ્રેસીઓનો આ ફિલ્મનો વિરોધ દર્શાવે છે કે તેમની માનસિકતા તુષ્ટિકરણની છે. તે માત્ર મુસ્લિમોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં લવ જેહાદની ઘટનાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આજ સુધી ગુમ થયેલી યુવતીને બતાવવામાં આવી છે, કોંગ્રેસીઓએ આનો વિરોધ કરવાની શું જરૂર છે.
ગૃહમંત્રીએ કહ્યું- કોઈ પ્રસ્તાવ મળ્યો નથી
જો કે એક રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રા સાથે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવા અંગે કહ્યું કે અત્યાર સુધી આવો કોઈ પ્રસ્તાવ સામે આવ્યો નથી.
નોંધનીય છે કે 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની 'ધ કેરલા સ્ટોરી' 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે, જેમાં 3નું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime