બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Remedies for Acidity: No need for medicines
Pooja Khunti
Last Updated: 03:46 PM, 26 January 2024
પેટમાં બળતરા અથવા એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે લોકો ઘણીવાર પરેશાન રહે છે. આના માટે મસાલેદાર ખોરાકથી લઈને તણાવ અને ખોટી જીવનશૈલીના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાનો સામનો કરવાનો એક સરળ અને અસરકારક રસ્તો છે? દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલો. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત ચાલવું એ એસિડિટીના લક્ષણોને ઘટાડવામાં અને ભવિષ્યમાં તેનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકો 12 અઠવાડિયા સુધી દરરોજ 30 મિનિટ ચાલવાની પ્રેક્ટિસ કરે છે. તેઓમાં એસિડિટીના લક્ષણોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ લક્ષણોમાં હાર્ટબર્ન, પેટ ફૂલવું, ખાટા ઓડકાર અને બેચેની વગેરેનો સમાવેશ થાય છે.
ખોરાક સરળતાથી પચી જાય છે
ચાલવું પેટના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે. જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ખોરાક સરળતાથી પચી જાય છે અને પેટમાં એસિડનું વધુ પડતું ઉત્પાદન અટકી જાય છે. આ સિવાય ચાલવાથી તણાવ ઓછો થાય છે. જે એસિડિટીની સમસ્યા વધવાનું એક મહત્વનું કારણ છે.
પાચન પ્રક્રિયામાં વધારો કરે છે
ચાલવાથી શરીરની ગતિશીલતા રહે છે. જે પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ખોરાક સરળતાથી પચી જાય છે અને એસિડની રચના ઓછી થાય છે.
વાંચવા જેવું: જમ્યા પછી તરત સૂઈ જતાં લોકો ચેતજો! BP-ડાયાબિટીઝ, ગેસથી બચવું હોય તો કરો આ કામ
પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે
ચાલવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. જે ખોરાકને નીચે તરફ ધકેલવાની ક્ષમતામાં વધારો કરે છે અને એસિડ રિફ્લક્સનું જોખમ ઘટાડે છે.
તણાવ ઘટાડે છે
તણાવ એસિડિટી વધારી શકે છે. ચાલવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત થાય છે. જેનાથી એસિડિટીની સમસ્યા પણ ઓછી થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
એસિડિટીની સમસ્યા મોટાભાગે સ્થૂળતા સાથે સંકળાયેલી હોય છે. ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જેનાથી એસિડિટીની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh