બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Reaching the footsteps of Lord Krishna, Kangana made a big announcement for the 2022 elections, a huge crowd to see

રાધે-રાધે / શ્રીકૃષ્ણનાં ચરણોમાં પહોંચેલી કંગનાએ 2022ની ચૂંટણી માટે કર્યું મોટું એલાન, જોવા માટે ઉમટી ભીડ

Published By: Mehul

Last Updated: 05:22 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દી ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી કંગના રનૌત અચાનક વૃંદાવનનાં શ્રી બાંકે બિહારી મંદિર પહોચી.અહીં તેણીએ બીહારીજી મંદિરમાં ઉપસ્થિત ભાવિકોની ભીડનું રાધે-રાધે બોલી કર્યું અભિવાદન.

  • કંગના રનૌત પહોચી વૃંદાવન કૃષ્ણ મંદિર 
  • ખેડૂતો માટે મારા દિલમાં હંમેશા સન્માન 
  • જે રાષ્ટ્રવાદી છે તે મારા નિવેદનો કરે છે સમર્થન

હિન્દી ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી કંગના રનૌત અચાનક વૃંદાવનનાં શ્રી બાંકે બિહારી મંદિર પહોચી.આ દરમિયાન તેણીએ બીહારીજી મંદિરમાં ઉપસ્થિત ભાવિકોની ભારે ભીડનું રાધે-રાધે બોલીને અભિવાદન કર્યું.કંગનાએ બીહારીજી મંદીરના દર્શન કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન જોવા મળી. 

 

જરૂર પડશે તો કરીશ ચૂંટણી પ્રચાર;કંગના 

આ દરમિયાન જયારે પત્રકારોએ કંગના રનૌતને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રશ્ન કર્યા તો તેણીએ કહ્યું કે, તે કોઈ પાર્ટીની સભ્ય નથી પરંતુ જરૂર પડશે તો રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ ધપાવવા માટે રાષ્ટ્રવાદી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે.કંગનાએ કહ્યું કે, તે કૃષ્ણની મોટી ભક્ત છે,અને તેને માટે સૌભાગ્યની વાત છે કે, આજ બીહારીજીના દર્શન થયા.કંગનાએ કહ્યું કે, તેને માખણનો પ્રસાદ પણ મળ્યો છે,અને તે પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લીન થઇ છે

જેના દિલમાં ચોર,તેને મારી વાત લાગે છે બૂરી 

એક સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, જેઓના દિલમાં ચોર છે તેઓને મારી વાત બૂરી લાગે છે ખેડૂતો પાસે માફી માંગવાના સવાલ પર કંગના રનૌતે કહ્યું કે, તે ખેડૂતોના હિતની વાત કરે છે એટલે માફી શા માટે માંગું ? તેણીએ કહ્યું કે, કેટલાક અસામાજિક તત્વો છે અને તેઓએ ગાડી રોકી હતી. અને એ જ જગ્યાએ ઘણા લોકોએ કહ્યું કે, ખોટી રીતે પરેશાન ના કરો અને તેને જવા દેવી જોઈએ

ખેડૂતો માટે મારા દિલમાં સન્માન 

કંગનાએ કહ્યું કે, તેમના દિલમાં ખેડૂતો માટે પૂરું સન્માન છે.કંગનાએ કહ્યું કે, જેઓ રાષ્ટ્ર ભક્ત છે,જે રાષ્ટ્રવાદી છે તેઓ મારા નિવેદનોનું હંમેશા સમર્થન કરે છે.કંગનાના વૃંદાવન પહોચતા જ ભારે ભીડ ઉમટી પડી હતી . સરક્ષા દળના જવાનોને કંગનાને મંદિરમાંથી બહાર લાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

કંગના રનૌત ખેડૂતો ચૂંટણી દર્શન પ્રચાર બાંકે બિહારી મંદિર વૃંદાવન સન્માન vrundavan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ