બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જાડેજા છેલ્લા કેટલાક સમયગાળાથી ઈજા સામે ઝઝૂમી રહ્યા છે અને તેના કારણે તેઓને આગામી દક્ષિણ આફ્રીકાના પ્રવાસથી બહાર મુકવામાં આવ્યા છે. BCCIએ સમાચાર આપ્યા છે કે, જાડેજાની ઈજા ખૂબ જ ગંભીર છે અને તેમને સાજા થતા ઓછામાં ઓછા 5-6 મહિના જેટલો સમય લાગી શકે છે.

ADVERTISEMENT
ટેસ્ટમાંથી લઈ શકે છે સંન્યાસ
ત્યારે હવે જાડેજાના એક મિત્રએ ખાનગી મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રવિન્દ્ર વનડે, T20 અને IPLનું લાંબુ કેરિયર યથાવત રાખવા માટે ટેસ્ટ મેચમાંથી સંન્યાસનું એલાન કરી શકે છે.
ADVERTISEMENT

જાડેજાની ઈજા ગંભીર છે
ADVERTISEMENT
બીજી તરફ રવિન્દ્ર જાડેજાની ઈજાની વાત કરીએ તો તે આ સમયે ખૂબ જ ગંભીર છે. જાડેજાની ન્યુઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ તે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. જે બાદ ખબર પડી કે જાડેજાની ઈજા ઘણી મોટી છે અને તે હવે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ જાડેજા શ્રીલંકા સામેની શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.

ADVERTISEMENT
જાડેજાએ ધોની કરતાં વધુ મોંઘા રિટેન કર્યા
તમને જણાવી દઈએ કે IPL 2022ની મેગા ઓક્શન પહેલા જાડેજાને તેની ટીમ CSK દ્વારા રિટેન કરવામાં આવ્યા છે. જાડેજાને આ ટીમ દ્વારા 16 કરોડની કિંમતમાં પોતાની સાથે જોડ્યા હતા. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને CSKએ 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.