ટીમ ઈન્ડિયાના સ્ટાર રવિન્દ્ર જાડેજા દુનિયાના ઉત્તમ ઓલરાઉન્ડર પૈકીના એક છે, જાડેજા બોલિંગ-બેટિંગ સિવાય ફિલ્ડીંગથી પણ મેચને પલટી શકે છે. ત્યારે તેઓ ટૂંક સમયમાં તેઓ ક્રિકેટના એક ફોર્મેટમાંથી વિદાય લઈ શકે છે.
રવિન્દ્ર જાડેજા ટૂંક સમયમાં ટૅસ્ટ ક્રિકેટને કહી શકે છે અલવિદા
ઈજાને લઈને લઈ શકે છે નિર્ણય
દક્ષિણ આફ્રીકાના પ્રવાસથી પણ રહ્યા છે બાકાત
જાડેજા છેલ્લા કેટલાક સમયગાળાથી ઈજા સામે ઝઝૂમી રહ્યા છે અને તેના કારણે તેઓને આગામી દક્ષિણ આફ્રીકાના પ્રવાસથી બહાર મુકવામાં આવ્યા છે. BCCIએ સમાચાર આપ્યા છે કે, જાડેજાની ઈજા ખૂબ જ ગંભીર છે અને તેમને સાજા થતા ઓછામાં ઓછા 5-6 મહિના જેટલો સમય લાગી શકે છે.
ટેસ્ટમાંથી લઈ શકે છે સંન્યાસ
ત્યારે હવે જાડેજાના એક મિત્રએ ખાનગી મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રવિન્દ્ર વનડે, T20 અને IPLનું લાંબુ કેરિયર યથાવત રાખવા માટે ટેસ્ટ મેચમાંથી સંન્યાસનું એલાન કરી શકે છે.
જાડેજાની ઈજા ગંભીર છે
બીજી તરફ રવિન્દ્ર જાડેજાની ઈજાની વાત કરીએ તો તે આ સમયે ખૂબ જ ગંભીર છે. જાડેજાની ન્યુઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ તે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા. જે બાદ ખબર પડી કે જાડેજાની ઈજા ઘણી મોટી છે અને તે હવે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ જાડેજા શ્રીલંકા સામેની શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.
જાડેજાએ ધોની કરતાં વધુ મોંઘા રિટેન કર્યા
તમને જણાવી દઈએ કે IPL 2022ની મેગા ઓક્શન પહેલા જાડેજાને તેની ટીમ CSK દ્વારા રિટેન કરવામાં આવ્યા છે. જાડેજાને આ ટીમ દ્વારા 16 કરોડની કિંમતમાં પોતાની સાથે જોડ્યા હતા. જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને CSKએ 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.