બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Ram Navami 2024 Today Surya Tilak will be done to Lord Ramlala, know the process

Ram Navami 2024 / આજે રામનવમીના પાવન દિને ભગવાન રામલલાને કરાશે સૂર્ય તિલક, જાણો કેવીરીતે કરાશે આ પ્રોસેસ

Megha

Last Updated: 07:51 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના રામ મંદિરમાં આજે રામનવમીના શુભ દિવસે શ્રી રામલલાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. દરમિયાન રામલલાના સૂર્ય તિલક અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલક માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના વીઆઈપી પાસ ચાર દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. 

આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રામનવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે.

 preparations for surya tilak of ramlala on ramnavami complete

એ વાત તો જાણીતી જ છે કે આપણાં હિંદુ ધર્મમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે અને વૈદિક કાળથી જ સૂર્યની પૂજા કરવામાં આવી રહી છે. ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે અયોધ્યામાં સૂર્યવંશી અને મર્યાદા સૂર્યવંશી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભગવાન રામ હંમેશા તેમના દિવસની શરૂઆત સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને કરતા હતા. 

એવામાં હવે આજે રામનવમીના અવસરે આયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવશે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે, સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને, તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મફતમાં હાજમોલા, કોકાકોલામાં મંદિર થીમ! અયોધ્યામાં કમાણીનો અવસર:  અંબાણી-અદાણીથી માંડી મોટી મોટી કંપનીઓએ બિઝનેસ માટે કમર કસી | Business  opportunities ...

રિપોર્ટ અનુસાર દર વર્ષે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે અને આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચશે. 

ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ આ સિવાય બીજા ઘણા મંદિરોમાં પણ વર્ષોથી સૂર્ય તિલક કરવાની પરંપરા ચાલતી આવે છે. જો કે તેમાં અલગ પ્રકારની એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં પણ મિકેનિઝમ સમાન છે, પરંતુ એન્જિનિયરિંગ સંપૂર્ણપણે અલગ છે.

વધુ વાંચો: સમયમાં વધારો, જાણો આવતીકાલે કેટલાં વાગ્યા સુધી ખુલ્લા રહેશે અયોધ્યા રામ મંદિરના કપાટ

અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડશે. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ