બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Ram Navami 2024 Today Surya Tilak will be done to Lord Ramlala, know the process
Megha
Last Updated: 07:51 AM, 17 April 2024
આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલક માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના વીઆઈપી પાસ ચાર દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રામનવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે.
એ વાત તો જાણીતી જ છે કે આપણાં હિંદુ ધર્મમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે અને વૈદિક કાળથી જ સૂર્યની પૂજા કરવામાં આવી રહી છે. ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે અયોધ્યામાં સૂર્યવંશી અને મર્યાદા સૂર્યવંશી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભગવાન રામ હંમેશા તેમના દિવસની શરૂઆત સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને કરતા હતા.
એવામાં હવે આજે રામનવમીના અવસરે આયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવશે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે, સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને, તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર દર વર્ષે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે અને આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચશે.
ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ આ સિવાય બીજા ઘણા મંદિરોમાં પણ વર્ષોથી સૂર્ય તિલક કરવાની પરંપરા ચાલતી આવે છે. જો કે તેમાં અલગ પ્રકારની એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં પણ મિકેનિઝમ સમાન છે, પરંતુ એન્જિનિયરિંગ સંપૂર્ણપણે અલગ છે.
વધુ વાંચો: સમયમાં વધારો, જાણો આવતીકાલે કેટલાં વાગ્યા સુધી ખુલ્લા રહેશે અયોધ્યા રામ મંદિરના કપાટ
અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડશે. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh