બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / નાનામવા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો

રાજકોટ / નાનામવા રોડ પર સામાન્ય બોલાચાલી બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો

Nidhi Panchal

Last Updated: 11:13 AM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ ફાયરિંગ કરતાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે

રાજકોટ શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ખૂની ખેલમાં ફેરવાઈ ગઈ હતી. અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ હથિયારો ઉગામી ફાયરિંગ કરતાં 30 વર્ષીય કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના કાકા રહેન્દ્રસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.

Untitled design (4)

મોકાજી સર્કલ નજીક વોકિંગ માટે નીકળ્યા હતા

પ્રાપ્ત માહિતી મુજબ કાકા રહેન્દ્રસિંહ અને તેમના ભત્રીજા કૃષ્ણદીપસિંહ રાત્રિના સમયે મોકાજી સર્કલ નજીક વોકિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમના ઘર નજીક આવેલા એક પ્લોટમાં બેઠેલા કેટલાક શખ્સો સાથે બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલી આ ઘટના બાદ વાત એટલી વણસી ગઈ કે એક શખ્સે પોતાના પિતાને હથિયાર સાથે સ્થળ પર બોલાવી લીધો.

પાંચ શખ્સો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા

આરોપ મુજબ પિતા રણજીત વાળા ચારથી પાંચ શખ્સો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન કૃષ્ણદીપસિંહ ઘરમાંથી બહાર નીકળતા જ તેમના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી વાગતા 30 વર્ષીય કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોતાના ભત્રીજાને બચાવવા વચ્ચે પડેલા કાકા રહેન્દ્રસિંહને પણ ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે

આ ઘટનાની વધુ એક મહત્વની બાબત એ છે કે ઇજાગ્રસ્ત રહેન્દ્રસિંહના પુત્ર ગોપાલસિંહ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પોલીસ કર્મચારીના પરિવાર પર જ જાહેરમાં ફાયરિંગ થતાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

CCTV કેમેરાના ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ

ઘટના બાદ મૃતકના પરિવારજનોએ રણજીત વાળા, રાજવીર વાળા અને અભિમન્યૂ વાળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અનોખી પરંપરાનો પુનર્જન્મ! 25 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીના 'જૂના મોસાળ'માં ફરી ભરાશે મામેરું

રાજકોટમાં જાહેરમાં થયેલા આ ફાયરિંગ બાદ ફરી એકવાર શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચામાં આવી છે. સામાન્ય બોલાચાલી દરમિયાન હથિયારોનો ઉપયોગ કરી જીવલેણ હુમલો કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ તપાસમાં ઘટનાના તમામ પાસાઓ સામે આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે અને CCTV સહિતના અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Crime Nanamava Road Rajkot Firing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ