બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Assembly election 2023 / ભારત / Politics / Rajasthan exit poll: Gehlot No-1 choice for CM post in Rajasthan, not Pilot-Vasundhara, Mahant Balaknath Yogi at No.2
Pravin Joshi
Last Updated: 08:26 PM, 2 December 2023
રાજસ્થાનના એક્ઝિટ પોલે નેતાઓની સાથે-સાથે પાર્ટી સમર્થકોના હૃદયના ધબકારા પણ વધારી દીધા છે. અહીં કોંગ્રેસને 42 ટકા અને ભાજપને 41 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. એક એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસને 86થી 106 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 80થી 100 બેઠકો મળી શકે છે. રાજસ્થાનમાં એક્ઝિટ પોલના ડેટા અનુસાર સીએમ પદ માટે અશોક ગેહલોત નંબર વન પસંદગી છે. અત્યાર સુધી Axis My India એક્ઝિટ પોલે તેના સર્વેક્ષણ માટે જેમની સાથે વાત કરી છે તેમાંથી 32 ટકા લોકો અશોક ગેહલોતને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે બીજી પસંદગી છે તે મહંત બાલકનાથ યોગી
આશ્ચર્યની વાત એ છે કે સર્વેમાં સામેલ લોકોમાં જેમણે સીએમ પદ માટે પોતાની નંબર-2 પસંદગી જાહેર કરી છે, તેમાં ન તો કોંગ્રેસના સચિન પાયલટ છે અને ન તો બીજેપીના વસુંધરા રાજે. માત્ર 5 ટકા લોકોએ સચિન પાયલટને સીએમ ચહેરા તરીકે પસંદ કર્યો છે, જ્યારે 9 ટકા લોકો વસુંધરા રાજેને સીએમ તરીકે જોવા માંગે છે. Axis My India એક્ઝિટ પોલમાં સર્વે કરાયેલા લોકોમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે જે વ્યક્તિ બીજી પસંદગી છે તે મહંત બાલકનાથ યોગી છે. સર્વેમાં સામેલ 10 ટકા લોકો તિજારા વિધાનસભાથી ચૂંટણી લડી રહેલા મહંત બાલકનાથ યોગીને અને અલવરના સાંસદને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. આશ્ચર્યની વાત એ છે કે સૌથી વધુ 21 ટકા લોકો બીજેપીના કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી બનતા જોવા ઈચ્છે છે. જ્યારે 5% લોકો કોંગ્રેસના કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. માત્ર 1 ટકા લોકો દિયા કુમારીને સીએમ બનતા જોવા માંગે છે. 2 ટકા લોકો હનુમાન બેનીવાલને સીએમ તરીકે જોવા માંગે છે. 2 ટકા લોકો બીએસપીના કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે 13 ટકા લોકો એવા છે જેમણે આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime