બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / rajasthan education minister madan dilawar calls the mughal empire akbar a rapist

વિવાદ / 'બળાત્કારી હતો અકબર, મીણા બજારમાંથી લાવતો હતો સુંદર સ્ત્રીઓ'- રાજસ્થાનના મંત્રી, જાણો આ માર્કેટ વિશે

Hiralal

Last Updated: 03:58 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે મુઘલ બાદશાહ અકબર પર વિવાદીત નિવેદન આપ્યું છે.

રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે મુઘલ બાદશાહ અકબરને બળાત્કારી કહ્યો છે. રાજ્યના પાઠ્યપુસ્તકોમાં અકબરના લખાણ અંગે ટિપ્પણી કરવા અંગે પૂછવામાં આવતા, રવિવારે બાલોત્રામાં એક મંદિરની મુલાકાતે આવેલા મદન દિલાવરે કહ્યું કે મુઘલ શાસક અકબર મીણા બજારમાંથી સુંદર મહિલાઓને લાવીને રેપ કરતો હતો. મંત્રીએ અકબરને મહાન કહેવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

અકબરને મહાન કહેવા સામે પણ મંત્રીને વાંધો 
પત્રકારો સાથેની વાતચીતમાં દિલાવરે કહ્યું, "અકબર ક્યારેય મહાન નહોતો. તે એક આક્રમણખોર અને બળાત્કારી હતો. તે 'મીના બજાર' ચલાવતો હતો અને ત્યાંથી સુંદર મહિલાઓને લાવીને બળાત્કાર કરતો હતો. આવી વ્યક્તિને મહાન વ્યક્તિત્વ કહેવું એ મૂર્ખામી છે. શાળાના પાઠયપુસ્તકોમાં મોટા ફેરફારોની ચર્ચાનો જવાબ આપતા મંત્રીએ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ કોઈ ફેરફાર લાવવા માંગતા નથી, પરંતુ કેટલીક ખોટી બાબતો દૂર કરવામાં આવશે.

વધુ વાંચો : અમદાવાદનો આ મહેલ જોઈને શાહજહાંને આવ્યો તાજમહેલનો વિચાર, મુમતાઝ સાથે ખેલ્યાં પ્રણયફાગ, જહાંગીરે ઘેટાં કપાવીને લટકાવ્યાં

અકબર કરતાં મહારાણા પ્રતાપના ઓછા મહત્વને સાંખી નહીં લેવાય 
30 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલાવરે કહ્યું હતું કે, "અમારે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ જે સામગ્રી ખોટી છે અથવા મહાન લોકોનું અપમાન કરશે તેને દૂર કરવામાં આવશે." શિવાજી અને વીર સાવરકર જેવા આપણા પૂર્વજો વિશે ઘણી ખોટી માહિતી છે. તે સુધારી લેવામાં આવશે. "ઘણા પુસ્તકો કહે છે કે સાવરકર દેશભક્ત નહોતા, જ્યારે અકબર મહાન હોવાનું કહેવાય છે. શિવાજીને 'પર્વતીય ઉંદર' કહેવામાં આવતા હતા અને અકબરની સામે મહારાણા પ્રતાપની ભૂમિકા નીચી હોવાનું વર્ણવવામાં આવ્યું હતું. આવી બાબતો સ્વીકારી નહીં શકાય અને તેની સમીક્ષા કરવામાં આવશે. 

શું છે મીણા બજાર
આ પહેલા 2014ની સાલમાં રાજસ્થાનના તત્કાલિન ભાજપ પ્રદેશાધ્યક્ષ મદનલાલ સૈનીએ મુઘલ શાસક અકબર વિશે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે અકબર મીણા બજારમાં સ્ત્રીઓના કપડાં પહેરીને જતો અને ત્યાં રેપ કરતો હતો. બિકાનેરની રાણી કિરણ દેવીની સાથે અકબરે દુર્વ્યવહાર કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે દુર્વ્યવહાર કરવા પર રાણીએ સમ્રાટના ગળા પર તલવાર રાખી દીધી હતી અને અકબરે તેમના જીવન માટે ભીખ માગવી પડી હતી. સૈનીએ કહ્યું કે તો જીવનચરિત્ર જોવું પડશે કે કોણ મહાન હોઈ શકે છે.

આગરા કિલ્લામાં છે મીણા બજાર 
ઉલ્લેખીય છે કે આગારા કિલ્લામાં અકબરે મીણા બજાર બનાવ્યું હતું જ્યાં શાહી ઘરાનાની મહિલાઓ ખરીદી કરતી હતી. આ મીના બજારમાં શાહી પરિવારની મહિલાઓ, રાજપૂતોની રાણીઓ અને મોટી મોટી હસ્તીઓ અહીં આવીને દુકાનો લગવા હતી. અહીં સામાન્ય લોકો ખરીદી કરી શકતા નહોતા. મુઘલ ઘરાનાના લોકો જ ખરીદી કરી શકતાં હતા. બીજા રાજ્યના રાજાઓ પણ ખરીદી કરવા અહીં આવતાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ