વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણમાં રાજકીય ગરમાવામો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કેન્દ્ર સરકાર અને RSS ની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યાં છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોંગલ પર્વ બાદ ફરીએકવાર તામિલનાડુના પ્રવાસે પહોંચ્યા હતા. તામિલનાડુના પોતાના પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પર નિશાન તાક્યું હતું.
ધારપુરમાં રવિવારના રોજ રાહુલ ગાંધીએ કહ્યું કે નાગપુરમાંથી બેસીને તામિલનાડુનું ભવિષ્ય ક્યારેય નક્કી ન કરી શકાય. રાજ્યનું ભવિષ્ય અહીના યુવાઓ નક્કી કરશે અને હું તેમની મદદ કરવા આવ્યો છું. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં એવી સરકાર જોઇએ, જે તામિલ લોકોના કામ કરતી રહે.
Nikkar-walas from Nagpur can never decide Tamil Nadu's future. Doesn't matter how many parades they have. Tamil Nadu’s future will be decided by its youngsters. I am here to help you elect a Govt that looks after interest of Tamil people: Shri @RahulGandhi#ThalaivarRahulGandhipic.twitter.com/gyzXEwptuE
તામિલનાડુમાં આ વર્ષના મધ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોયંબતુર અને તિરપ્પુરમાં રેલીને સંબોધન કરી હતી. જ્યાં કોયંબતુરમાં રાહુલ ગાંધીએ GST માં ફેરફારને લઇને વાત કરી હતી, જ્યારે તિરપ્પુરમાં RSS પર નિશાન તાક્યું હતું.
રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર નિશાન તાકતા કહ્યું કે RSS મહીલાઓની ઇજ્જત કરતા નથી. એટલું જ નહીં તેઓએ પોતાના સંગઠનમાં પણ મહીલાઓનો જગ્યા આપી નથી
Nikkar-walas from Nagpur can never decide Tamil Nadu's future. Doesn't matter how many parades they have. Tamil Nadu’s future will be decided by its youngsters. I am here to help you elect a Govt that looks after interest of Tamil people: Shri @RahulGandhi#ThalaivarRahulGandhipic.twitter.com/gyzXEwptuE
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તિરપ્પુરમાં રેલી દરમિયાન કહ્યું કે મહિલાઓને સમાન અધિકારી વગર કોઇ દેશ પ્રગતિ ના કરી શકે. દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે જે સંગઠન આજે ભારતને ચલાવી રહ્યું છે, તેઓ તાનાશાહી છે અને પુરુષવાદ છે. એટલે સુધી કે તેઓએ મહિલાઓને સંઘમાં સ્થાન પણ આપ્યું નથી.
કોયંબતુરમાં અર્થવ્યવસ્થાને લઇને કર્યા આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ આ અગાઉ કોયંબતુરની રેલીમાં ભાગ લીધો હતો. જ્યાં રાહુલ ગાંધીએ તેમની પાર્ટીની સરકાર બનશે તો GSTમાં ફેરફાર કરશે. રાહુલ ગાંધીએ મધ્યમ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા ભરોસો આપ્યો કે કોંગ્રેસની સરકાર 'એક ટેક્સ, ન્યૂયત્તમ'ના સિદ્ધાંત પર અમલ કરવામાં આવશે.