બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rahul gandhi conversation with university of chicago professor dipesh chakrabarty

પલટવાર / શું મારા પિતા રાજીવ ગાંધી હતા એટલે મારે ચૂંટણી ના લડવી જોઇએ?: પરિવારવાદી પાર્ટીની ટીપ્પણી પર રાહુલનો પલટવાર

Divyesh

Last Updated: 08:41 AM, 13 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ કહ્યું કે રાજીવ ગાંધી અને ઇંદિરા ગાંધીના બલિદન પર ગર્વ છે, PM મોદી સપના વેંચી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારાના રોજ શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર દીપેશ ચક્રવર્તી સાથે રાજીવા ગાંધી અને ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. 

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે પરિવારના બે લોકો (રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી) પ્રધાનમંત્રી રહતે પોતાનો જીવ ગુમાવ્યો છે તેને લઇને તમે શું વિચારો છો? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મને ગર્વ છે કે તેઓએ દેશ માટે બલિદાન આપ્યું છે. 

મોદી સરકારના કામ પર કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં લાખો લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. તેઓને મોટા-મોટા સપના દેખાડવામાં આવી રહ્યાં છે. લોકોમાં ગુસ્સો છે. તેઓ રોજગારી ઇચ્છે છે, પૈસા કમાવાનું વિચારે છે. પરંતુ તેઓને આ બધુ મળી રહ્યું નથી. પીએમ મોદી જી સપના વેંચી રહ્યાં છે. 

ખેડૂતના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે કૃષિ મામલે ઓપન ડિબેટ કરવી જોઇએ. સામે વાળાની વાત સમજવી જોઇએ. જનસંખ્યાના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો લોકો પ્રોડેક્ટિવ છે તો કોઇ મુશ્કેલી નથી. 
 


UPAના સમયમાં ભ્રષ્ટાચારનો આરોપ અને પરિવારવાદ પાર્ટીના આરોપને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે અંદાજે 30 વર્ષથી મારા પરિવારમાંથી કોઇ પ્રધાનમંત્રી કે મંત્રી બન્યું નથી. શું મારા પિતાજી રાજીવ ગાંધી હતા એટલે મારે ચૂંટણી ન લડવી જોઇએ. શું નેહરુ જી પીએમ હતા તો મારે રાજનીતિમાં ન આવવું જોઇએ. 

અમેઠીથી વાયનાડ જવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિવિધતાનો દેશ છે. કેરલ પણ ઘણું સારુ રાજ્ય છે. લોકો ઘણા વિનમ્ર છે. જ્યારે ઉત્તર પ્રદેશમા લોકો ઘણા સ્પષ્ટવક્તા છે. મને બંને જગ્યા પસંદ છે. 

યુપીએ-1 માં અમે ઘણું સારુ કામ કર્યું. મિડલ કલાસને મજબૂત કર્યું. બની શકે છે યુપીએ-2માં અમારી સામે થોડી નારાજગી જોવા મળી. ભારતમાં સતત 10 વર્ષ સરકાર ચલાવી ઘણી મોટી વાત છે. 

અસ્પૃશ્યતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના એક ગામડામાં ગયો હતો. જ્યાં એક દલિત શખ્સને પૂછ્યં કેમ છો? તેણે જવાબ આપ્યો ઠીક છું, મારી પાસે રુપિયા છે, પરંતુ સમાજમાં એવી ઇજ્જત નથી, જે ઉચ્ચ જ્ઞાતિઓને છે. આ સાંભળી મને ઘણું ખરાબ લાગ્યું. આ છબીને આપણે સુધારવી પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi congress rahul gandhi કોંગ્રેસ પીએમ મોદી રાહુલ ગાંધી Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ