બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / rahul gandhi appears at sultanpur mp mla court in defamation case related to amit shah

MP MLA Court / રાહુલ ગાંધીને મળ્યા જામીન: માનહાનિ કેસમાં MP-MLA કોર્ટે આપી રાહત, ગૃહમંત્રી શાહ પર કરી હતી ટિપ્પણી

Published By: Vikram Mehta

Last Updated: 01:02 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. રાહુલ ગાંધીએ વર્ષ 2018માં કર્ણાટકમાં અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરતા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. 

રાહુલ ગાંધીએ વર્ષ 2018માં કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે કેરળમાં વાયનાડથી પાર્ટી સાંસદ ભારત જોડો ન્યાયયાત્રા રોકીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આજે અમેઠીમાં રાહુલ ગાંધીની યાત્રા છે.  

રાહુલ ગાંધી પર શું આરોપ મુકવામાં આવ્યો છે?
ભાજપ નેતા વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. વિજય મિશ્રાએ આરોપ મુક્યો હતો કે, રાહુલ ગાંધીએ 8 મે 2018ના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન બેંગ્લોરમાં એક જનસભા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દોષી ગણાવ્યા હતા. 

વિજય મિશ્રાએ કોર્ટમાં રાહુલ ગાંધી હાજર થયા તે પહેલા કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ અમિત શાહને ‘હત્યારા’ કહ્યા હતા તથા અપશબ્દો કહ્યા હતા. આ કારણોસર અમે એક પરિવાદ દાખલ કર્યો હતો. ભાજપ દેશની એક સૌથી મોટી પાર્ટી છે. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને હત્યારો કહેવામાં આવે, તે અયોગ્ય છે. આ પ્રકારની ટિપ્પણીને કારણે અમને ખૂબ જ દુ:ખ થયું, જેથી અમે પરિવાદ દાખલ કર્યો.’ 

વધુ વાંચો: ખ્યાત ગેંગસ્ટરના ભાઈને અખિલેશ યાદવે ચૂંટણી લડવા ઉતાર્યા, કહ્યું- બાપ દાદાઓની જમીન વેચી નાંખીશ, નહીં ચાલે મોદી ફેક્ટર

અમેઠીથી કોંગ્રેસ યાત્રા શરૂ થશે
કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધીને આજે સુલ્તાનપુરમાં ઉત્તરપ્રદેશ જિલ્લા કોર્ટમાં હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. 4 ઓગ્સ્ટ 2018ના રોજ ભાજપ નેતાએ માનહાનિ કેસ દાખલ કરતા આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંત્યો છે. આજે બપોરે 2 વાગ્યે અમેઠીના ફુરસતગંજથી ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ થશે.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Latest News Rahul Gandhi defamation case rahul gandhi અમિત શાહ અને રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી રાહુલ ગાંધી માનહાનિ કેસ રાહુલ ગાંધીને જામીન MP MLA Court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ