ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:08 AM, 19 September 2026
1/8
રાધા અષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસ રાધા રાણીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. જન્માષ્ટમીના 15 દિવસ બાદ આવતા આ પર્વ પર ભક્તો રાધા-કૃષ્ણની પૂજા અને વ્રત કરે છે. જો તમે પણ આજે વ્રત રાખવાના હોવ તો જાણો પૂજાનો શુભ સમય, વ્રતના નિયમો, પૂજાવિધિ અને મંત્ર.
2/8
રાધા અષ્ટમીનો પવિત્ર તહેવાર આજે 19 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ રાધા રાણીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધા અષ્ટમી આવે છે. જન્માષ્ટમીના 15 દિવસ બાદ આવતા આ પર્વનું ભક્તોમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.ધાર્મિક માન્યતા મુજબ રાધા રાણી વિના શ્રીકૃષ્ણની આરાધના અધૂરી માનવામાં આવે છે. આથી ભક્તો આ દિવસે વ્રત રાખીને રાધા-કૃષ્ણની સંયુક્ત પૂજા કરે છે. રાધા રાણીના મંદિરે દર્શન કરવા ઉપરાંત ભજન-કીર્તન અને દાન-પુણ્ય કરવાનું પણ મહત્ત્વ છે.
ADVERTISEMENT
3/8
આ વર્ષે અષ્ટમી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 1:02 વાગ્યે શરૂ થઈ હતી અને 19 સપ્ટેમ્બરે બપોરે 3:28 વાગ્યે પૂર્ણ થશે. 19 સપ્ટેમ્બરે સવારે 11:01થી બપોરે 1:28 વાગ્યા સુધી પૂજાનો શુભ મુહૂર્ત છે. વ્રત રાખનારા ભક્તો આ સમય દરમિયાન રાધા રાણી અને શ્રીકૃષ્ણની પૂજા કરી શકે છે.અષ્ટમી તિથિ અને પૂજાના શુભ સમયને ધ્યાનમાં રાખીને ભક્તો પોતાની પૂજાનું આયોજન કરી શકે છે. જોકે, સ્થાનિક પંચાંગ પ્રમાણે મુહૂર્તમાં થોડો ફેરફાર હોઈ શકે છે.
4/8
રાધા અષ્ટમીના વ્રતનું પારણું બીજા દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરે નવમી તિથિએ કરવામાં આવે છે. આપેલી માહિતી અનુસાર, બપોરે 12 વાગ્યાની આસપાસ વ્રત ખોલવાનો સમય છે. પારણાના દિવસે સવારે સ્નાન કરીને રાધા-કૃષ્ણની પૂજા કરવી. ત્યારબાદ બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને ભોજન કરાવી શકાય છે. દાન-પુણ્ય કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.
ADVERTISEMENT
5/8
રાધા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ પૂજાની ચોકી પર લાલ કે પીળું કપડું પાથરીને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. રાધા રાણીની મૂર્તિનો પંચામૃતથી અભિષેક કરીને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કરો. ત્યારબાદ રોલી, ચંદન, ફૂલ, ધૂપ અને દીવો અર્પણ કરીને પૂજા કરો.રાધા રાણીને માખણ-મિશ્રી, ધાણા પંજરી અને ખીરનો ભોગ ધરાવી શકાય છે. પોતાની શ્રદ્ધા અને ક્ષમતા પ્રમાણે નિર્જળા વ્રત, ફળાહાર અથવા એક સમયનું સાત્વિક ભોજન કરીને ઉપવાસ રાખી શકાય છે. વ્રત દરમિયાન અનાજ, સામાન્ય મીઠું, ડુંગળી અને લસણનું સેવન ટાળવામાં આવે છે. પૂજા દરમિયાન રાધા-કૃષ્ણનાં નામનું સ્મરણ કરીને આરતી કરવી અને પ્રસાદ વહેંચવો.
6/8
રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ભક્તો પૂજા દરમિયાન શાંત મનથી મંત્રનું સ્મરણ કરી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ રાધા રાણીના મંત્રજાપથી મનને શાંતિ મળે છે અને ભક્તિભાવ વધે છે. આ પવિત્ર દિવસે રાધા રાણીના આશીર્વાદ મેળવવા માટે નીચેના મંત્રનો જાપ કરી શકાય છે.
ADVERTISEMENT
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ