બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ NCLTની દિલ્હી બેંચે સુપરટેકને નાદાર જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર આ નિર્ણય આપવામાં આવ્યો છે.
25,000 ઘર ખરીદનારાઓ પર તોળાતું મોટું સંકટ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, સુપરટેકમાં લગભગ 25,000 ઘર ખરીદનારાઓનું ભવિષ્ય દાવ પર છે. NCLTના આ નિર્ણયથી ઘર ખરીદનારાઓને પણ અસર થઈ શકે છે. જો કે, સુપરટેકે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે આ નિર્ણય સામે એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં અપીલ કરશે.
કંપનીએ શું કહ્યું:
ADVERTISEMENT
સુપરટેકે કહ્યું, “ઘરના ખરીદદારોના હિતમાં, પ્રોજેક્ટના નિર્માણ અને ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અમારી પાસે છેલ્લા 7 વર્ષમાં 40,000 થી વધુ ફ્લેટ પહોંચાડવાનો મજબૂત રેકોર્ડ છે અને અમે અમારા “મિશન” માટે પ્રતિબદ્ધ છીએ. અમે " મિશન કમ્પ્લીશન 2022" હેઠળ અમારા ખરીદદારોને ડિલિવરી કરવાનું ચાલુ રાખીશું, જે અંતર્ગત અમે ડિસેમ્બર, 2022 સુધીમાં 7000 યુનિટ ડિલિવર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
અનેક સ્થળે કર્યું છે કંપનીએ બાંધકામ
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, સુપરટેક લિમિટેડની એનસીઆર-ગુરૂગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં અનેક પરિયોજનાઓ આવેલી છે. સુપરટેક લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ ફ્લેટમાં કબજા માટે 25 હજારથી વધુ ખરીદદારો રાહ જોઈને બેઠાં છે.અન્ય એક કિસ્સામાં, ઉત્તર પ્રદેશમાં નોઈડાના સેક્ટર 93-Aમાં સ્થિત સુપરટેક અમ્રલ કોર્ટના બંને ટાવરને 22 મેના રોજ તોડી પાડવામાં આવશે, પરંતુ તોડી પાડવા પહેલા 10 એપ્રિલે ટેસ્ટ બ્લાસ્ટ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.