કોરોના વાયરસનો કહેર દેશમાં જોવા મળી રહ્યો છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકારની ટીમ તેની સામે જંગ લડી રહી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલો સાંખી લેવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલો કરનારને કડકમાં કડક સજા આપવામાં આવશે. મેડિકલ ટીમ પર હુમલો કર્યો તો 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા, નુકસાન બમણું વસૂલાશે.
કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં મહામારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં લોકડાઉન સંદર્ભે પણ સમીક્ષા કરાય છે. જો કે કેબિનેટની બેઠક બાદ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકના નિર્ણયો અંગે જાણકારી આપતાં જણાવ્યું કે હવે દેશમાં મેડિકલ ટીમ પર થતાં હુમલાઓ સહન નહીં કરાય. આરોગ્યકર્મીઓ પર થતાં હુમલા બિનજામીનપાત્ર અપરાધ ગણાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 22, 2020
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે મેડિકલકર્મીઓ પર હુમલો કરનારાઓને જામીન નહીં મળે. 30 દિવસની અંદર તપાસ પુરી કરવામાં આવશે. 1 વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઇ શકે છે.
આ સિવાય જો ગંભીર મામલો હશે તો 6 મહીનાથી 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગંભીર મામલાઓમાં 50 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થશે. અધ્યાદેશ અનુસાર જો કોઇ આરોગ્યકર્મીની ગાડી પર હુમલો કરવામાં આવશે તો માર્કેટ વેલ્યુ કરતાં વધારે વસુલવામાં આવશે.
In case of grievous injuries, the accused can be sentenced from 6 months to 7 years. They can be penalised from Rs 1 Lakhs to Rs 5 Lakhs: Union Minister Prakash Javadekar pic.twitter.com/VEXjQVz2x8
આમ આજરોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મેડિકલ ક્ષેત્રના લોકો માટે સરકાર દ્વારા વટહુકમ જાહેર કરાયો છે. આમ સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમમાં 123 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સરકાર તરફથી ફર્ટિલાઇઝર અંગેની સબસીડીમાં વધારાને લઇને જાણકારી આપી હતી. સરકાર દ્વારા આ સબસીડી વધારીને 22 હજાર કરોડથી વધારે કરાય છે.