બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / વડોદરાની માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન, જાણો પરિણામ ક્યારે ?
Last Updated: 01:38 PM, 2 July 2026
Manjalpur ByElection : ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 6 જુલાઈએ ચૂંટણીની સત્તાવાર નોટિફિકેશન બહાર પડશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 2, 2026
6 જુલાઈ નોટિફિકેશન જાહેર થશે, 13 જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
14 જુલાઈએ ફોર્મ ચકાસણી થશે, 16 જુલાઈ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
30 જુલાઈએ યોજાશે મતદાન, 3 ઓગસ્ટે પેટા ચૂંટણીનું પરિણામ#Vadodara #Manjalpur #ByElection… pic.twitter.com/u9FrOeZxVt
શા માટે યોજાઈ રહી છે પેટાચૂંટણી?
ADVERTISEMENT
માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ નજીક વેપારી સાથે લૂંટ, 500 ગ્રામ સોનું અને રોકડ લઈને આરોપીઓ ફરાર
ADVERTISEMENT
આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં પ્રચાર પણ તેજ બનવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.