કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે સસ્પેન્ડ કરવા મામલે કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં હંમેશા વફાદારીથી કામ કર્યું છે.
કોંગ્રેસમાં ઈમાનદારીથી કામ કર્યુ છતા સસ્પેન્સન કેમ?: પ્રગતિ આહિર
પ્રગતિ આહિરે જણાવ્યું છે કે, કોંગ્રેસંમાં ઈમાનદારીથી કામ કર્યુ છતા સસ્પેન્સન કેમ?, તેમણે ઉમેર્યું કે, સિનિસર નેતૃત્વને મારા સસ્પેન્સનની જાણ જ નથી. કોંગ્રેસ માંથી સસ્પેન્ડના સમાચાર સાંભળી પ્રગતિની આંખમાં આવ્યા આંસુ આવ્યા છે. VTV સાથે વાત કરતા પ્રગતિ આહીર ભાવુક થયા છે. તેમણે ઉમેર્યું કે, હંમેશા વફાદારીથી કામ કર્યું છે અને મારા આખરી દમ સુધી કોંગ્રેસને વફાદાર રહીશ
પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે કરાયા સસ્પેન્ડ
અમદાવાદ કોંગ્રેસ સેવા દળની પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ પ્રવક્તા પ્રગતિ આહીરને કોંગ્રેસમાંથી ગઈકાલે સસ્પેન્ડ કરાઈ છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 4 નેતાઓને કોંગ્રેસે ઘરનો રસ્તો બતાવ્યો.
પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી: પ્રગતિ આહિર
વીટીવી ગુજરાતી સાથે પ્રગતિ આહિરે ગઈકાલે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે મોટો ઘડાકો કરતા કહ્યું હતું કે મારી પાસે હજુ સુધી કોઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી, મને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. રઘુ શર્મા સુધીના નેતાઓને પૂછી લીધું છે પણ તેમના ધ્યાનમાં પણ નથી. રહી વાત ઈલેક્શનમાં પક્ષ વિરોધી પ્રવત્તિ કરવાની તો હું ચૂંટણી સમયે ગુજરાતમાં ન હતી ભારત જોડો યાત્રામાં હતી. અને મારા ગામમાં ભાજપનું વધુ જોર છે છતાં મૈ કોંગ્રેસમાં લીડ અપાવી છે. આમાં ક્યાંથી પક્ષ વિરોધી પ્રવુતિ હોય અને તમે કહો છો કે જો લેટરમાં નામ હોય તો આવું થઈ ગયું હશે તો સિનિયર નેતાઓ મારી વફાદારી સમજીને નિર્ણયને રદ્દ કરી આપશે