કર્ણાટકના મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની અટકળો વચ્ચે યેદીયૂરપ્પાએ આવી કોઈ ચર્ચા થઈ હોવાની વાત નકારી હતી પરંતુ દિલ્લી બોલાવવામાં આવ્યા હોવાનું સ્વીકાર્યું હતું.
ઉત્તરાખંડ બાદ કર્ણાટકમાં બદલાવની સંભાવના
મુખ્યમંત્રી યેદીયૂરપ્પાને દિલ્લી બોલાવવામાં આવ્યા
ભાજપનાં અધ્યક્ષ જે પી નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત
તાજેતરમાં ઉત્તરાખંડમાં થયા હતા ફેરફારો
ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત છે કે આ જ કારણથી કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પા આજે સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હી પહોંચશે. દિલ્લી તેઓ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાને મળે તેવી સંભાવના છે.
યેદિયુરપ્પાએ નકારી શક્યતાઓ
જો કે, કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ આવી શક્યતાઓ નકારી દીધી હતી. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન સાથે વાતચીત કરવા માટે તેમજ રાજ્યના વિકાસ, સિંચાઈ પ્રોજેક્ટ્સ અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રિઑને મળવા માટે દિલ્લી જઈ રહ્યા છે.
કાવેરી નદી પર પરિયોજના માટે કરી શકે છે માંગ
જો કે આ મુલાકાતમાં યેદિયુરપ્પા વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ સાથે મળીને કાવેરી નદી પર મેકેદાતું પરિયોજીના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની માંગ કરી શકે છે તેવી સંભાવનાઓ પણ છે. તેમણે જણાવ્યું હતું કે મે વડાપ્રધાન પાસે મુલાકાત કરવા અને સમય ફાળવવા માટે વિનંતી કરી છે ત્યાર બાર હું શનિવારે પરત ફરીશ.