બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / રાજકોટ / PM Modi will launch the second and third phase of Sauni Yojana from Jamnagar on October 10
Vishnu
Last Updated: 09:11 PM, 5 October 2022
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 09-10-11 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી દેલવાડા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી બહુચરાજીના દેલવાડામાં 9મી ઓક્ટોબરે એક જાહેર સભાને સંબોધશે. પીએમ મોદીના આગામનને લઈને વહીવટી તંત્ર દ્વારા ધમધોકાર તૈયારી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ના બરોબર થઈ જશે
તો બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પાણીની સમસ્યાને જડમૂળથી નાથવા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે.PM મોદીના 10 ઓક્ટોબરના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ યોજનાને જનતા માટે ખુલ્લી મૂકશે. જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. જેથી પોરબંદર, જામનગર, રાજકોટ, દ્વારકા જિલ્લામાં પાણી પહોંચશે. મળતી માહિતી મુજબ સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 300 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યારે સૌની યોજનાના લિંક-3 પેકેજ-7 રૂપિયા 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આમ કુલ મળીને 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તમામ નેટવર્ક તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેનાથી સૌરાષ્ટ્રવાસીઓને પાણી માટે વલખાં મારવા નહીં પડે.એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષી જશે.
સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5
સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7
મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમને લઈને 32 કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. 9 ઓક્ટોમ્બરે પીએમ મોદી બહુચરાજીના દેલવાડામાં જાહેરસભા સંબોધશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને 4 હેલિપેડ બનાવવામાં આવશે. આ જાહેર સભા બાદ વડાપ્રધાન મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.
પીએમ મોદીના હસ્તે દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરાશે લોકાર્પણ
9 ઓક્ટોમ્બરે પીએમ મોદીના હસ્તે મહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પીએણ મોદી બહુચરાજી જવા રવાના થશે. બહુચરાજી સ્થિત બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં PMની જંગી જાહેર સભા
10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મહેમાન બનશે. પીએમ મોદી 10 ઓક્ટોબરે આણંદની મુલાકાતે જશે. જ્યાં આણંદના વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદી એક જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ સંગઠને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime