બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:57 AM, 11 May 2026
ગઇ કાલે રવિવાર 10મી મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી10મી મેની રાત્રે જામનગર ખાતે રોકાયા હતા. બીજા દિવસે એટલે કે, આજે 11મી મેના રોજ સવારે સોમનાથ મંદિરે યોજાનાર અમૃત મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ સાંજે વડોદરા ખાતે મધ્ય ગુજરાતના સરદાર ધામનું લોકાર્પણ કરશે.
ADVERTISEMENT
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ADVERTISEMENT
હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો
પીએમ મોદી હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો કરશે. રોડ શોના રૂટની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે SP, DSP સહિત 2000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. NSG અને SOGની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમના રોડ શોને ધ્યાનમાં રાખીને SOG દ્વારા હેલિપેડથી સોમનાથ મંદિર સુધી રિહર્સલ પણ કરવામાં આવી હતી. રોડ શો પહેલાં NSG દ્વારા કોનવે પસાર કરવામાં આવ્યો હતો. કોનવે પસાર થાય ત્યાં સુધી યાત્રાળુઓને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.