બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:34 AM, 8 August 2026
અમેરિકા-ઈરાન યુદ્ધને પગલે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત અને ઈઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ રાજદ્વારી સંપર્ક થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફોન પર વાત કરીને બંને દેશો વચ્ચેના સંબંધો તેમજ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
ADVERTISEMENT

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે (6 ઓગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ વાતચીતની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે તેમને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો હતો. બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સંબંધ સતત વધુ મજબૂત અને વિકસતો જઈ રહ્યો છે.
ADVERTISEMENT
PM મોદીની આ પોસ્ટને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફરી પોસ્ટ કરીને ભારત પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સંદેશમાં લખ્યું, "આભાર, મારા મિત્ર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી. આપણે સાથે મળીને ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતા રહીશું." નેતન્યાહૂના આ સંદેશને બંને દેશો વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોના મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ભારતીય PM કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ વિવિધ ક્ષેત્રોમાં થયેલી સતત પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજી, સુરક્ષા, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
PMOના નિવેદન મુજબ, PM મોદી અને વડા પ્રધાન નેતન્યાહૂએ પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલા વિકાસ અને વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. અમેરિકા-ઈરાન યુદ્ધ બાદ સમગ્ર વિસ્તારમાં ઊભા થયેલા તણાવ અને તેના સંભવિત પ્રભાવ અંગે બંને નેતાઓએ પોતાના વિચારોની આપ-લે કરી હતી. સાથે જ ભવિષ્યમાં પણ પરસ્પર સંપર્કમાં રહેવા બંને નેતાઓ સંમત થયા હતા.
ADVERTISEMENT
תודה ידידי, ראש ממשלת הודו נרנדרה מודי.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) August 7, 2026
ביחד אנחנו ממשיכים לחזק את הקשר בין ישראל להודו.
🇮🇱🇮🇳 https://t.co/37m74bM34L
આ દરમિયાન ઈરાન તરફથી પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઈરાને ગુરુવારે જણાવ્યું હતું કે તે ઓમાન સાથે હોર્મુઝ સ્ટ્રેટને લઈને કરારના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાના તબક્કામાં છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક શિપિંગ અને ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો જળમાર્ગ માનવામાં આવે છે અને વિશ્વના તેલ વેપારમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ADVERTISEMENT
ઈરાનના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી શરૂ થયેલા સંઘર્ષ પહેલા વિશ્વના અંદાજે 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો પર્સિયન ગલ્ફ નજીક આવેલા આ જળમાર્ગમાંથી પસાર થતો હતો. તેથી હોર્મુઝ સ્ટ્રેટને લઈને કોઈપણ કરાર અથવા તણાવનો સીધો પ્રભાવ વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે.
આ પણ વાંચો : લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું
પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ભારત સતત રાજદ્વારી સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદી અને ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે થયેલી આ વાતચીતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશોએ માત્ર દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા જ વ્યક્ત કરી નથી, પરંતુ પ્રદેશની સ્થિતિ પર સતત સંપર્કમાં રહેવાની પણ સહમતિ દર્શાવી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની પણ નજીકથી નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.