બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ના હોય! ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે એટલું જ પાણી? રાજકોટવાસીઓ એલર્ટ
Last Updated: 10:38 AM, 8 August 2026
ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરી એક વખત જળસંકટના વાદળો ઘેરાયા છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકારના દ્વાર ખખડાવ્યા છે અને તાત્કાલિક નર્મદાનું પાણી ફાળવવાની માંગ કરી છે.
ADVERTISEMENT
ચોમાસા શરૂ થાય તે પહેલાં રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા હતા. જોકે, ચોમાસું ખેંચાતા અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ડેમોમાં પાણીની આવક ઘટી છે. પરિણામે હવે રાજકોટ સામે ફરી પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે રાજકોટને પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું મનાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો રાજકોટમાં પાણીના પ્રશ્નને લઈને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ADVERTISEMENT
આજી-1 ડેમની સ્થિતિ
રાજકોટના મહત્વના જળસ્ત્રોત એવા આજી-1 ડેમમાં હાલ 22.23 ફૂટ પાણી ભરેલું છે. ડેમમાં આશરે 464.2 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ન્યારી-1 ડેમની સ્થિતિ
બીજી તરફ, ન્યારી-1 ડેમમાં હાલ 16.20 ફૂટ પાણી ભરેલું છે. અહીં આશરે 473.02 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ચોમાસું ખેંચાતા અને ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે મનપાએ રાજ્ય સરકાર પાસે નર્મદાનું પાણી આપવા માંગ કરી છે.
આ પણ વાંચોઃ લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું
ADVERTISEMENT
હવે રાજકોટની નજર વરસાદ પર છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને ડેમોમાં પાણીની આવક વધે તો જળસંકટનું જોખમ ઘટી શકે છે. અન્યથા સપ્ટેમ્બર બાદ રાજકોટમાં પાણીની વ્યવસ્થાને લઈને મનપા સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.