બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Priyakant
Last Updated: 01:15 PM, 19 January 2024
PM Modi Emotional : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં દરમિયાન ભાવુક થઈ ગયા હતા. આજે રાજ્યના લાભાર્થીઓ સાથે PM મોદીએ વાત કરી હતી. આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતાં જ તેણે થોડી ક્ષણો માટે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું હતું. PM આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે, કદાચ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત.
PM મોદીએ કહ્યું, મને ખુશી છે કે અમે સોલાપુરના હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે PM આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મેં જઈને જોઈ આવ્યો પણ કાશ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત. આટલું કહીને PM મોદીએ અચાનક ભાષણ થોડા સમય માટે બંધ કરી દીધું હતું.
#WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others.
— ANI (@ANI) January 19, 2024
PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5
આ પછી તેણે ભાવુક થઈને કહ્યું, જ્યારે હું આ વસ્તુઓ જોઉં છું, ત્યારે મને ખૂબ જ સંતોષ થાય છે, જ્યારે હજારો પરિવારોના સપના સાકાર થાય છે, ત્યારે તેમના આશીર્વાદ મારી સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો ત્યારે મેં તમને ખાતરી આપી હતી કે, હું તમારા ઘરની ચાવી આપવા માટે વ્યક્તિગત રીતે આવીશ. PM મોદીએ કહ્યું કે, બે પ્રકારના વિચારો છે - લોકોને રાજકીય નિવેદન આપવા માટે ઉશ્કેરતા રહો. અમારો રસ્તો છે કામદારોનું સન્માન, આત્મનિર્ભર કામદારો, ગરીબોનું કલ્યાણ.'
વધુ વાંચો: આંખે પાટા, ગળામાં હાર... કરો પ્રભુ રામલલાના દર્શન, સામે આવી વધુ એક નવી તસવીર
આ દરમિયાન PM મોદીએ જૂની સરકારો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ઘણા લાંબા સમયથી આપણા દેશમાં ગરીબી હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા પરંતુ ગરીબી દૂર થઈ નથી. ગરીબોના નામે યોજનાઓ બનાવવામાં આવી, પરંતુ ગરીબોને તેનો લાભ મળ્યો નથી. વચેટિયાઓ તેમના હકના પૈસા લૂંટી લેતા હતા. અગાઉની સરકારોની નીતિ, ઈરાદા અને વફાદારી દાટમાં હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime