બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi election related big statement from navsari gujarati news
Dhruv
Last Updated: 12:51 PM, 10 June 2022
PM મોદી આજ રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ નવસારીના ખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને આદિવાસી વિસ્તારના લોકોને એક મોટી ભેટ આપી છે. દરમ્યાન તેઓએ અહીં સંબોધન કરતા વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ કરતા કહ્યું હતું કે, 'આપણે ત્યાં તો કોઇ પણ કામ કરો એટલે કેટલાંક લોકો તો ચાલુ જ પડી જાય છે કે, જોયું ચૂંટણી આવી એટલે કામ થાય છે, ચૂંટણી આવી એટલે કામ થાય છે. અમારા કાર્યકાળનું એક અઠવાડિયું કોઇ એવું શોધી લાવે, એક, આ મારી ચેલેન્જ છે. મને સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઇ ગયા. એક અઠવાડિયું કોઇ શોધી લાવે કે જે અઠવાડિયામાં અમે વિકાસનુું કોઇ કામ ન કર્યું હોય. તેવું એક અઠવાડિયું ના મળે.'
એક સમયે CM પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા અને હું આજે 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું : PM
PM મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.'
અમે ચૂંટણી જીતવા નથી આવતા, લોકો અમને જીતાડે છે. અમારે મન સત્તામાં બેસવું એટલે સેવા કરવાનો અવસર : નવસારીમાં PM મોદી@PMOIndia @narendramodi #Navsari #GujaratGauravAbhiyan pic.twitter.com/k034RpACv3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી: PM મોદી
નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત દરમ્યાન PM મોદીએ કહ્યું કે, 'અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે.
અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે : નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમૂહૂર્ત દરમ્યાન બોલ્યા PM મોદી@PMOIndia @narendramodi #Navsari pic.twitter.com/1JN3J4zoWn
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન હોતો થયો: PM
નવસારીના ખુડવેલમાં સંબોધન દરમ્યાન PM મોદીએ કહ્યું કે, 'મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન હોતો થયો, આજે 5 લાખ લોકો આવ્યા છે.'
ગુજરાત ગૌરવ અભિયાન | મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ નહોતો થયો, આજે 5 લાખ લોકો આવ્યા છે: PM મોદી@PMOIndia @narendramodi #Navsari pic.twitter.com/advsKeVsGx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે, અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM
PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.'
ગુજરાત ગૌરવ અભિયાન | ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો, અહીં બસમાં આવતો, આટલા વર્ષો અહિયાં રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM મોદી@PMOIndia @narendramodi #Navsari pic.twitter.com/1FiCBL0ZIL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2022
જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે: PM
PM મોદીએ નવસારીથી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સંભાળવાનું દાયિત્વ સંભાળ્યું તેમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે તે તેનું જ પરિણામ છે કે મારી સામે આજે પાંચ લાખથી પણ વધારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યાં. મને ગર્વ એ વાતનું થાય છે કે જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે અને તમારો પ્રેમ વધતો જ જઇ રહ્યો છે. એટલે મને સર્વાધિક ગર્વ થઇ રહ્યો છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime