બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / 'એક વાર GST જોઈ લેજો' PM મોદીએ નિર્મલા સીતારમણને ફોન કરીને કહ્યું, પછી થયો મોટો ઘટાડો
Last Updated: 03:56 PM, 7 September 2025
જીએસટીમાં વ્યાપક સુધારા રાતોરાત થયા ન હતા, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં જેસલમેરમાં થયેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક પહેલા જ શરૂ થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને ફોન કરીને વ્યવસાયો માટે જીએસટીને અનુકૂળ બનાવવા અને દરોને તર્કસંગત બનાવવા કહ્યું હતું, ત્યારબાદ તેઓએ ઝડપથી કામગીરી શરૂ કરી હતી. આ વાત સીતારમણે પોતે સ્વિકારી હતી. ખૂબ જ સરળ જીએસટી સિસ્ટમ માટે રસ્તો સાફ થઈ ગયો. જેમાં કર દર ઓછા છે. એક તરફ, જ્યારે આનાથી કંપનીઓ માટે પાલનનો બોજ ઓછો થયો છે, ત્યારે રોજિંદા ઉપયોગ સહિત લગભગ 400 વસ્તુઓ પર કર દર ઘટાડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નિર્મલા સીતારમણે એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
નિર્મલા સીતારમણે પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'ખરેખર, જીએસટીમાં વ્યાપક સુધારાનું કામ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા જ પ્રધાનમંત્રીએ મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું, 'એકવાર તમે GST પર નજર નાખો, તેને વ્યવસાયો માટે અનુકૂળ બનાવો અને દરો પર આટલી બધી વિસંગતતાઓ કેમ છે? મને લાગે છે કે તે 9 મહિના પહેલા જેસલમેર બેઠક પહેલાની વાત છે.' તેમણે કહ્યું, 'પછી બજેટ દરમિયાન, જ્યારે અમે આવકવેરાના પગલાંની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમણે મને યાદ અપાવ્યું કે તમે GST પર કામ કરી રહ્યા છો, ખરું ને? આ એક વાત હતી.'
ADVERTISEMENT
આ પણ વાંચો : દિલ્હી ફરી પૂરનાં સંકટમાં ફસાઈ, ઘરો પાણીમાં ગરકાવ અને યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ
PM એ ફોન પર શું કહ્યું
ADVERTISEMENT
સીતારમણે કહ્યું, 'મંત્રીઓનું જૂથ દોઢ વર્ષ સુધી કામ કરી રહ્યું હતું. હું તે દરેકની પ્રશંસા કરું છું કે તેમણે રિપોર્ટ તૈયાર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તેનું પરિણામ પણ મળી ચુક્યું છે.' તેમણે કહ્યું કે, વડાપ્રધાનની વાત સાંભળ્યા પછી, મેં નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે GSTના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરીએ. માત્ર દર જ નહીં, માત્ર સ્લેબની સંખ્યા જ નહીં, પણ એ દૃષ્ટિકોણથી પણ જોઈએ કે તે વ્યવસાય, નાના કે મધ્યમ વ્યવસાય માટે કેટલું સારું રહે.' નાણામંત્રીએ કહ્યું કે અમે આ બધી બાબતોની નોંધ લીધી. માલના વર્ગીકરણ પર નજર નાખી, જે ઘણી મૂંઝવણ પેદા કરી રહ્યું હતું. સ્વાભાવિક રીતે, દર પર પણ નજર નાખી. 1 ફેબ્રુઆરી, 2025 થી 15 મે ની આસપાસ, અમે તેના અભ્યાસ, સમીક્ષા વગેરે પર કામ કરતા રહ્યા.
પ્રધાનમંત્રીને આશ્વાસન આપ્યું
ADVERTISEMENT
નાણામંત્રી સીતારમણે કહ્યું, 'મે મહિનાના મધ્યમાં, મે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી. પીએમએ જીએસટી અંગે માહિતી આપી અને કહ્યું કે અમે ટુંક જ સમયમાં તમામ બાબતે સ્પષ્ટતા સાથે પગલા લેવાની નજીક છીએ. તે દરખાસ્તનું સ્વરૂપ લઈ શકે છે અને તેમને સમય આપવા વિનંતી કરી. તે પછી તેમણે કહ્યું કે તમે જુઓ કે તમે તેને GST કાઉન્સિલમાં કેવી રીતે લઈ જઈ શકો છો. પછી મેં ટીમ સાથે બેસીને નિર્ણય લીધો કે આ કેન્દ્રનો પ્રસ્તાવ હશે, જે GoM ને મોકલવામાં આવશે કારણ કે GoM માં રાજ્યોના મંત્રીઓ છે. હું ત્યાં નથી. અમે ઇચ્છતા હતા કે, લોકોમાં સ્પષ્ટ સંદેશ જાય કે અમે તમામ કામનો આદર કરીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.