બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi appealed to the citizens for 'vocal for local' In Bharuch
Dhruv
Last Updated: 01:26 PM, 10 October 2022
PM મોદીએ આજે ભરૂચના આમોદમાં સંબોધન કરતા વોકલ ફોર લોકલ પર ભાર આપતા કહ્યું કે, 'હું જ્યારે આજે ભરૂચ આવ્યો છું ત્યારે તમને યાદ કરાવું કે હું તો કાયમ કહું છે કે આ દેશને આપણે એકદમ ઝડપી આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક પણ બહું મોટું કામ કરી શકે. સામાન્ય નાગરિક પણ દેશને આજે આગળ વધારી શકે. તમને એમ થાય કે અહીં પોતાના માટે જ જે વલખાં મારતો હોય એ કેવી રીતે કરે. અરે તમે વોકલ ફોર લૉકલનો મંત્ર પકડી લો, કોઇ વિદેશી ચીજથી હું દૂર રહીશ, આ દિવાળી આવે છે, એવાં એવાં બજારમાં ફટાકડા આવશે કે બે મિનિટ આકાશમાં ઝબકારો કરી જાય, પણ આપણને ખબર ના હોય કે કેટલાંય ગરીબોની મહેનતને પાણી ફેરવી નાખતા હોય છે. ભલે આપણે ભારતમાં બનેલા ફટાકડા લઇએ, કદાચ અજવાળું ઓછું કરે, કદાચ ચમકારો ઓછો કરે, અવાજ ઓછો કરે પરંતુ ભાઇઓ એ અવાજ ઓછો કરશે, ચમકારો ઓછો કરશે પણ એ મારા દેશના, મારા રાજ્યના ગરીબોના ઘરમાં ચમકારો આવશે. બે મિનિટ આકાશમાં ચમકારો આવે કે ના આવે પણ એના 12 મહિના એની જીંદગીમાં ચમકારો આવશે. આપણે શા માટે આપણા દેશનું ના લઇએ. અહીંનું એક કારખાનું 700 કરોડ રૂપિયા બચાવી શકતું હોય, મારા ભરૂચના નાગરિકો નક્કી કરે ને તો એ પણ આટલાં રૂપિયા બચાવીને મારા દેશનું હૂંડિયામણ જતું રોકી શકે એટલી તાકાત પડી છે આપણી પાસે.'
ભરૂચમાં વડાપ્રધાન | આ દેશને આપણે ઝડપથી આગળ લઈ જવો હોય તો વોકલ ફોર લોકલનો મંત્ર પકડી લો, આપણે ભારતમાં બનેલા જ ફટાકડા જ લઈએ : PM#bharuch @PMOIndia @narendramodi pic.twitter.com/en2p6Xm0rN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
તમને જણાવી દઇએ કે, PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાને આજે ભરૂચવાસીઓ દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. PM મોદીએ આજે ભરૂચના આમોદમાં રૂ. 8200 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
આ દરમ્યાન PM મોદીએ ભરૂચવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, 'સાથીઓ આજે સવારે હું જ્યારે અહીં આવી રહ્યો હતો, ત્યારે મને એક દુખદ સમાચાર મળ્યા કે આજે મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'
ભરૂચમાં વડાપ્રધાન | ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે: PM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
#bharuch @PMOIndia @narendramodi pic.twitter.com/fSXE5EbAcz
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે: PM
વધુમાં ભરૂચના વિકાસની વાત કરતા PM મોદીએ કહ્યું કે, 'ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે. વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'
ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે: PM
ભરૂચમાં વડાપ્રધાન | ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે: PM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
#bharuch @PMOIndia @narendramodi pic.twitter.com/ESbbsCERVU
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે : PM
ભરૂચમાં વડાપ્રધાન | વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ : PM#bharuch @PMOIndia @narendramodi pic.twitter.com/d1W2tqxvJN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
PM મોદીએ વિકાસને લઇને કટાક્ષ કરતા કહ્યું કે, 'જો વિકાસ કરવો હોય તો વાતાવરણ બરાબર જોઈએ, રુકાવટોવાળું વાતાવરણ ન ચાલે. વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'
ભરૂચમાં વડાપ્રધાન | વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ : PM#bharuch @PMOIndia @narendramodi pic.twitter.com/d1W2tqxvJN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
મહત્વનું છે કે, PM નરેન્દ્ર મોદી ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસને બીજો દિવસ થયો છે. તેઓએ આજે ભરૂચના આમોદમાં 8 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે.
ભરૂચને આપી રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી. PM મોદીએ જંબુસરમાં 2 હજાર 506 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. તો બીજી બાજુ દહેજમાં 558 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-1 અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ અને STP પ્લાન્ટનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું.
જાણો PM મોદીનો ભરૂચ બાદનો આજનો સંપૂર્ણ પ્રવાસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime