બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / pm kisan samman nidhi yojna govt is withdrawing money from disqualified farmers list of names
Manisha Jogi
Last Updated: 02:09 PM, 18 September 2023
ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ શામેલ છે. આ અંતર્ગત સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 2000 રૂપિયાના ત્રણ હપ્તા જમા કરે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ઓગસ્ટ મહિનામાં આપવામાં આવ્યો હતો.
ખેડૂતો આતુરતાથી 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો જમા કરશે. જે ખેડૂતોએ અત્યાર સુધી આ યોજના માટે અરજી કરી નથી, તે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે વહેલામાં વહેલી તકે અરજી કરવાની રહેશે. ખેડૂતો પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.
સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પરત શા માટે લઈ રહી છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ખેડૂતો PM કિસાન સન્માન નિધિનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે, સરકાર તે ખેડૂતો સામે કાર્યવાહી કરી રહી છે. જમીનના રેકોર્ડની ચકાસણી દરમિયાન ખેડૂતો અયોગ્ય સાબિત થયા છે, તેવા ખેડૂતો પાસેથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ પરત લેવામાં આવી રહી છે. જે ખેડૂતો પૈસા પરત નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
E-KYC કરાવવું જરૂરી છે
જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાનો લાભ મેળવવા માંગે છે, તેમણે ઈ E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો તમે સુધી E-KYC કરાવ્યું નથી, તો ટૂંક સમયમાં E-KYC કરવું જરૂરી છે. નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પરથી E-KYC કરાવવાનું રહેશે. E-KYC કરવામાં નહીં આવે તો આગામી હપ્તો તમારા ખાતામાં જમા નહીં થઈ શકે.
કોઈપણ સમસ્યા માટે સંપર્ક કરો
પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ સમસ્યા માટે, ઈમેલ [email protected] પર સંપર્ક કરી શકો છો. ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર- 155261 અથવા ટોલ ફ્રી નંબર 1800115526 અને 011-23381092 પર સંપર્ક કરી શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime