બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Pitru Paksha 2023 5 remedies related to lamp in pitru paksha pay special attention to direction

Pitru Paksha 2023 / ક્યાંક પિતૃઓ નારાજ તો નથી ને? તો અપનાવો આ 5 ઉપાય, તમારા પિતૃઓ થઇ જશે રાજીના રેડ, કરશે ધનનો વરસાદ

Arohi

Last Updated: 08:54 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pitru Paksha: હિંદૂ અને સનાતન ધર્મમાં દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે પિતૃ પક્ષમાં પણ દીવો કરવો શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં યોગ્ય દિશામાં દિવો કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે.

  • યોગ્ય દિશામાં કરો દિવો 
  • મળશે પિતૃઓના આશીર્વાદ 
  • પિતૃઓ થઇ જશે રાજીના રેડ

હિંદૂ અને સનાતન ધર્મમાં દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે તેમની કોઈ પણ પૂજા દિવા વગર પુરી નથી થતી. જોકે શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાઓ માટે અલગ અલગ પ્રકારના દિવા કરવા વિશે કહેવામાં આવ્યું છે. જેમ માતા લક્ષ્મીને ઘીનો દિવો પ્રિય છે. ત્યાં જ હનુમાનજીને ચમેલીનું તેલ અને શનિદેવને સરસવના તેલનો દિવો અતિપ્રિય છે. નિયમિત દિવો કે જ્યોત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવગણ પ્રસન્ન થાય છે. 

આ રીતે પિતૃ પક્ષમાં પણ દીવો સળગાવવો શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બર 2023થી પિતૃ પક્ષ શરૂ થવાનું છે. એવામાં 15 દિવસ ચાલનાર પિતૃ પક્ષમાં જો તમે યોગ્ય દિશામાં દિવો કરો તો તમને પિતૃઓના આશીર્વાદ મળશે. સાથે જ મનોકામનાઓ પણ પુરી થશે. 

ઘરની આ જગ્યાઓ પર દિવો કરવો ખૂબ જ શુભ 
પિતૃ પક્ષમાં દક્ષિણ દિશામાં કરો દિવો 

આમ તો ઘણા ઘરોમાં સવારની પૂજા અને સાંજે દિવો કરવામાં આવે છે. પરંતુ પિતૃ પક્ષ વખતે દરરોજ એક દિવો જરૂર દક્ષિણ દિશામાં કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ દિશા પિતૃઓની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે. સાથે જ તેમનો આશીર્વાદ મળે છે. 

ઈશાન કોણમાં કરો ઘીનો દિવો
દરરોજ ઘરના ઈશાન કોણમાં ગાયના ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. તેનાથી ઘરમાં ક્યારેય પણ આર્થિક સમસ્યા નથી થતી. રોજ આમ કરવાથી પિતૃ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે. 

પીપળાના ઝાડ પર કરો દિવો 
પિતૃ પક્ષ વખતે પીપળાના ઝાડ પર દિવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી-દેવતાઓની સાથે જ પિતૃઓનો પણ વાસ થાય છે. એવામાં જો તમે પિતૃ પક્ષ વખતે રોજ પીપળામાં જળ અર્પણ કરીને ઘીનો દિવો કરો છો તો તેમનો આશીર્વાદ તમને મળશે. તેના ઉપરાંત પિતૃ દોષથી છુટકારો મળશે. 

કિચનમાં પાણીની પાસે કરો દિવો
જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જણાવી દઈએ કે જો તમે પિતૃ પક્ષ વખતે નિયમિત સાંજના સમયે કિચનમાં પીવાના પાણીની પાસે દિવો કરો તો પિતૃઓનો આશીર્વાદ મળે છે. સાથે જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બન્ને પ્રસન્ન થાય છે. 

ઘરના મુખ્ય દ્વાર પર કરો દિવો 
જ્યોતિષશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર પણ દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત રીતે સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દિવો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી. તેના ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા થવાથી ઘરમાં હંમેશા ધન, દૌલત, સુખ રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ