બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / peoples anger erupts over padma shri award for actress kangana

બોલિવૂડ / કંગનાને પદ્મશ્રી મળતા કોંગ્રેસ નેતાઓનો ફૂટ્યો ગુસ્સો, કહ્યું ગરીબોની મદદ કરનાર સોનુ સૂદ છે અસલી હકદાર

ParthB

Last Updated: 03:34 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સહિત અનેક હસ્તીઓને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી, દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યાં છે

  • અભિનેત્રી કંગના રનૌત પદ્મશ્રી મળતા કોંગ્રેસ નેતાઓનો ગુસ્સો ફૂટ્યો
  • કોગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું 
  • કોરોનામાં લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ કેમ ન આપ્યો 

અભિનેત્રી કંગના રનૌત પદ્મશ્રી મળતા કોંગ્રેસ નેતાઓનો ગુસ્સો ફૂટ્યો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સહિત અનેક હસ્તીઓને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન બદલ વિવિધ હસ્તીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતાં. દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યાં છે કે, કોરોના સંકટમાં લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદને આ એવોર્ડ કેમ ન આપવામાં આવ્યો. એટલું જ નહીં, કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપવાને લઈને પણ મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. 

કોગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વિટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું 

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા ઉદિત રાજે પણ એક ટ્વિટમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. અને ઉદિત રાજે મોદી સરકારને ઘેરીને કહ્યું કે, સોનું સૂદને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈતો હતો. ઉદિત રાજે પોતાન ટ્વિટમાં લખ્યું છે કે, લોકો આઘાતમાં છે કે, પદ્મશ્રી સોનું સૂદને મળવો જોઈતો હતો પણ મળ્યો કંગનાને  તમે કઈ દુનિયામાં છો, અહીં કામ પર નહી, જૂઠાણું અને નફરત ફેલાવવા માટે મળે છે.

છત્તીસગઢના એડિશનલ એડવોકેટ જનરલ અશોક બસોયાએ ટ્વીટ કર્યું, "મારો મોદીજીને એક પ્રશ્ન છે કે, સોનુ સૂદને પદ્મશ્રી કેમ ન અપાયો??"

એક યુઝર્સે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “ગરીબોના મસીહા સોનુ સૂદ જીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હોત તો ઘણું સારું થાત, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો, ભારતના લોકોમાં સોનુ સૂદ માટે ઘણો પ્રેમ છે. હૃદય. સોનુ ભૈયા તને પ્રેમ કરું છું"

અન્ય યુઝર્સે પોતાના ટ્વીટમાં લખ્યું, “કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવનાર અને વેપારી કંગના રનૌતને નફરત કરનારને પદ્મશ્રી એવોર્ડ આપનાર સોનુ સૂદ અને પપ્પુ યાદવને પદ્મશ્રી પુરસ્કારની યાદીમાંથી બાકાત રાખવું, તે દર્શાવે છે કે મદદ કરવાની જરૂર છે. દેશમાં લોકો. લોકોની કોઈ કિંમત નથી."

કંગના હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે

તમને જણાવી દઈએ કે કંગના રનૌત હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે મીડિયાની હેડલાઈન્સમાં રહે છે, તેની સાથે જ તેને સોશિયલ મીડિયા પર ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક્ટર સોનુ સૂદ પોતાની ફિલ્મો કરતાં લોકોને વધુ મદદ કરવા માટે ચર્ચામાં છે. સોનુ સૂદે કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો માટે માત્ર ઘરે પહોંચવાની વ્યવસ્થા જ નથી કરી, પરંતુ તેમના ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરી છે. ત્યારથી સોનુ સૂદના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Kangana Ranaut Padma Shri award actress અભિનેત્રી કંગના રનૌત ગુજરાતી ન્યૂઝ પદ્મશ્રી એવોર્ડ Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ