બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / people of Virpur business closed joined the funeral of Hemlataben
Kishor
Last Updated: 07:59 PM, 19 May 2022
કરોડો ભક્તોની જ્યાં આસ્થા જોડાયેલ છે તેવા યાત્રાધામ વીરપુરમાં પૂ.જલારામ બાપાના પરિવારના હેમલતાબેન ચંદ્રાણીનો દેહવિલય થયો છે. રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેનનો 80 વર્ષની વયે દેહવિલય થયો છે.જેને પગલે વીરપુર પંથકના રહીશોમાં શોકની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે હેમલતાબેન જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા અને ભરતભાઈ ચંદ્રાણીના કાકી થતા હતા.
નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી
હેમલતાબેને અનંતની વાટ પકડતા તેમના પાર્થિવ દેહને ગઇકાલે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ આજે ગુરૂવાર સવારે 9 વાગ્યે તેમની નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેને લઈને સમગ્ર વીરપુરના વેપારીઓ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા અને ભારે શોક સાથે મોટી સંખ્યામાં વિરપુર પંથકવાસીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. હેમલતાબેનના નિધનથી જલારામબાપાના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
શનિવારે હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા
આગામી તા. 21 ને શનિવારના રોજ હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા યોજાશે. જલારામ બાપાની જગ્યાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિગૃહ ખાતે સાંજે 5.30 વાગ્યે પ્રાથનાસભા રાખવામાં આવશે. પ્રાથનાસભા દરમિયાન પણ પૂજ્ય બાપાની જગ્યામાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લા રાખવામાં આવશે તેમ જાહેર થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime