ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Paytm announces cashback to devotees travelling to Ayodhya
ADVERTISEMENT
ADVERTISEMENT
પેટીએમએ ફ્લાઇટ અને બસ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જવા માગતા ભક્તો માટે કેશબેક ઓફરની જાહેરાત કરી છે. યાત્રીઓને તેમની બસ અને અયોધ્યાની ફ્લાઇટ બુકિંગ પર 100 ટકા સુધીનું કેશબેક મળી શકે છે.
#WATCH | At Birla Mandir in Delhi, Union Home Minister Amit Shah, Union Minister Meenakashi Lekhi and others watch the live telecast of the Pranpratishtha ceremony underway at Shri Ram Janmabhoomi Temple in Ayodhya.
— ANI (@ANI) January 22, 2024
Minister Lekhi gets emotional while watching the telecast. pic.twitter.com/LZIuzt8F2I
ADVERTISEMENT
કેવી રીતે મેળવવું 100 ટકા કેશબેક
અયોધ્યાની યાત્રા કરનારા લોકો ભાગ લેવા માટે બસ બુકિંગ માટે પ્રોમો કોડ 'બુસાયોધ્યા' અને ફ્લાઇટ બુકિંગ માટે 'ફલાયયોધ્યા'નો ઉપયોગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે દરેક દસમો યૂઝર આ કેશબેક ઓફર માટે પાત્ર બને છે. બસ મુસાફરોને 1,000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે, જ્યારે ફ્લાઇટ ટિકિટ બુક કરાવનારા લોકોને કેશબેકમાં 5,000 રૂપિયા સુધીની રકમ જીતવાની તક મળે છે. તે ઉપરાંત યૂઝર્સને ફ્રી કેન્સલેશન અને 100 ટકા રિફંડનો પણ વિકલ્પ છે. પેટીએમ એક લાઇવ બસ ટ્રેકિંગ સેવા પણ પ્રદાન કરી રહ્યું છે જે યૂઝર્સને તેમના સંપર્કો સાથે તેમની બુક કરેલી બસનું રીઅલ-ટાઇમ લોકેશન શેર કરવાની મંજૂરી આપશે.
ADVERTISEMENT
કંપનીના પ્રવક્તા શું બોલ્યાં
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે મોબાઇલ પેમેન્ટ અને ક્યૂઆર ટેકનોલોજીમાં મોખરે હોવાને કારણે અમને અયોધ્યાની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે આ વિશિષ્ટ ઓફર પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. બસ અને ફ્લાઇટ બુકિંગ પર 100% કેશબેક સહિત અમારી વિશિષ્ટ ઓફર્સ દ્વારા, અમારું લક્ષ્ય અયોધ્યામાં અવિરત મુસાફરી કરનારા ભક્તોને મદદ કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ