બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Paresh Dhanani ticket was celebrated by the Congress and the absence of grassroots leaders became controversial

PHOTOS / ડખો? રાજકોટમાં ધાનાણી નામની જાહેરાતના ફુટ્યા ફટાકડા, પણ આ નેતાઓની ગેરહાજરીના પડઘા પડ્યા

Vishal Khamar

Last Updated: 03:20 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકટા ફોડીને ઉજવણી કરી હતી. ઉજવણીમાં કોંગ્રેસનાં નેતાઓની ગેરહાજરી જોવા મળતા હાજર લોકોમાં અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા. ત્યારે હજુ પણ શુ રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે?

રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરેશ ધાનાણીને ટિકિટ મળતા કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉમેદવાર જાહેર થવાની ઉજવણીમાં કોંગ્રેસનાં નેતાઓની ગેરહાજરી જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ર્ડા. હેમાંગ વસાવડા કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે લલિત કગથરા, મહેશ રાજપૂત અને પ્રદીપ ત્રિવેદી પણ કાર્યક્રમથી દૂર રહ્યા હતા.

ગેરહાજર રહેલા નેતાઓ અન્ય કામમાં વ્યસ્ત હતાઃ અતુલ રાજાણી (પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ)
રાજકોટ કોંગ્રેસનાં પાયાનાં કાર્યકરો ઉજવણીમાં ગેરહાજરી જોવા મળતા આ સમગ્ર બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. અમે કોંગ્રેસનાં તમામ નેતાઓને મેસેજનાં માધ્યમથી જાણ કરી હતી. પરંતું ગેરહાજર રહેલા નેતાઓ અન્ય કામમાં વ્યસ્ત હતા. જેથી કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નથી. 

2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે-પરેશ ધાનાણી 
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારનાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાજ રાજકોટનાં રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. આ લડાઈ રાજકોટનાં સાંસદ બનવાની નથી.  પરંતું આગામી પાંચ વર્ષ રાજકોટનાં જે પ્રશ્નો છે તેને વાચા આપવાની છે.  રાજકોટ સામે જ પડકારો છે તે પડકારોને ઝીલવા માટેની છે.  અને મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટનાં રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જનજનનાં આર્શીવાદ મળશે. 

અતુલ રાજાણી (પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ)

વધુ વાંચોઃ ગુજરાતમાં અકસ્માતની હારમાળા: ભાવનગર બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 કાળજું કંપાવે તેવી ટક્કર, કુલ 8ના મોત

રાજકોટમાં હવે કડવા-લેઉવા પાટીદારનો જંગ જામશે
 રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે.  તેમજ ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ