બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Parents who give 'Bournvita' to children beware
Malay
Last Updated: 11:38 AM, 27 April 2023
બોર્નવિટાને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ બોર્નવિટાને નોટિસ ફટકારી છે. કમિશને બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાને કહ્યું છે કે તે તેની તમામ પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલોની સમીક્ષા કરે. કંપની પર આરોપ છે તે તેના ઉત્પાદનમાં વધુ માત્રામાં ખાંડ ભેળવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે.
NCPCRએ લખ્યો પત્ર
મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ દીપક અય્યરને લખેલા પત્રમાં NCPCRએ કહ્યું કે, તેને એક ફરિયાદ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બોર્નવિટા, જે પોતાને હેલ્થ પાવડર અથવા હેલ્થ ડ્રિંક જણાવીને પ્રચાર કરે છે, તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.
ગ્રોહકોને ગેરમાર્ગે દોરી રહી છે જાહેરાતો
કંપનીને 21 એપ્રિલે ફટકારવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'કમિશનને જાણવા મળ્યું છે કે તમારી કંપનીમાં બનેલી પ્રોડક્ટ તેના પેકેજિંગ અને જાહેરાતોના માધ્યમથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ ઉપરાંત તમારી પ્રોડક્ટનું લેબલિંગ અને પેકેજિંગ પણ બોર્નવિટા પ્રોડક્ટ બનાવવામાં વપરાતી સામગ્રી વિશે સાચી માહિતી આપતું નથી.' વધુમાં જણાવવામાં આવ્યું છે કે, FSSAI અને ગ્રાહક સુરક્ષા કાયદાની માર્ગદર્શિકા અને નિયમો હેઠળ લેબલિંગમાં જે બાબતો ફરજિયાત રીતે જણાવવી જોઈએ, તે જણાવવામાં પણ કંપની નિષ્ફળ રહી છે. આયોગે બોર્નવિટાના બોક્સ પર ઉત્પાદનમાં વપરાતી માત્રા જણાવવા આવે છે, તેને લઈને પણ આયોગે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કંપની નિયમોનું પાલન નથી કરતી.
'પ્રથમ દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન'
નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રોડક્ટમાં બાળકો પર આવા ફોર્મ્યુલાની હાનિકારક અસરો દર્શાવતી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, જે પ્રથમ દૃષ્ટિએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime