બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : આતંકી હુમલામાં શહીદ પતિ વિનયના તાબૂતને પકડીને હિમાંશી ધ્રુસકે ધ્રુસકે રડી, જોઈને દ્રવી જશો
Last Updated: 06:50 PM, 23 April 2025
Pahalgam Attack News : પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ દેશભરમાં શોકનો માહોલ છે. આ હુમલામાં શહીદ થયેલા ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલને તેમની પત્નીએ હૃદયસ્પર્શી અને આંસુભરી વિદાય આપી. જ્યારે વિનય નરવાલના પાર્થિવ શરીરને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવી દિલ્હી લાવવામાં આવ્યું ત્યારે તેમની પત્ની તેમના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડી પડી. આ સમય દરમિયાન તે કહેતી રહી, "હું કેવી રીતે જીવીશ? હું કેવી રીતે ટકીશ?" નોંધનીય છે કે, આ કપલના લગ્ન માત્ર સાત દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ થયા હતા.
ADVERTISEMENT
શહીદની પત્નીનો વલોપાત
જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલનો પાર્થિવ દેહ જ્યારે દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યો ત્યારે લગણીસભર દ્રશ્યો જોવા મળી હતા. આ દરમિયાન ભારતીય નેવીના શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પત્નીએ ભાવુક થઈ કહ્યું હતું કે, મેં તારી સાથે શ્રેષ્ઠ સમય ગાળ્યો..હું તમારા પર ગર્વ કરું છું.
ADVERTISEMENT
જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વિનય નરવાલના પરિવારના સભ્યો ઉપરાંત નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લેફ્ટનન્ટ વિનય નરવાલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના ઉપરાંત વાયુસેના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ નરવાલને શ્રદ્ધાંજલિ આપી છે.
ADVERTISEMENT
કરનાલના રહેવાસી હતો વિનય નરવાલ
ADVERTISEMENT
26 વર્ષીય વિનય નરવાલ તેની પત્ની સાથે પહેલગામમાં રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે હરિયાણાના કરનાલ જિલ્લાના ભુસલી ગામનો રહેવાસી હતા. તેમનો પરિવાર કરનાલ શહેરમાં રહે છે. આ કપલના લગ્ન સાત દિવસ પહેલા જ થયા હતા. તેમના એક સંબંધીએ જણાવ્યું કે, તેમના લગ્ન પછી બધા ઉજવણી અને ખુશ હતા પરંતુ અચાનક આ દુઃખદ સમાચાર આવ્યા.
આ તસવીર જોઈ માતમ છે..પીડા છે..બદલો જરૂર લઈશું! દરેક ભારતીયોની દેશદાઝ#jammukashmir #indian #indianarmy #Pahalgam #PahalgamTerroristAttack #VTVDigital #vtvcard pic.twitter.com/LzQ6au2FxG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 23, 2025
ADVERTISEMENT
લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલા જ 19 એપ્રિલે હતું
દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં કાયર આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા પ્રવાસીઓમાં કરનાલના પુત્ર લેફ્ટનન્ટ વિનય નરવાલનો પણ સમાવેશ થાય છે. નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમની પત્ની હિમાંશી સાથે પ્રવાસ પર ગયા હતા. બંનેએ છ દિવસ પહેલા 16 એપ્રિલના રોજ મસૂરીમાં એક ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્ન કર્યા હતા. હિમાંશી ગુરુગ્રામની રહેવાસી છે. લગ્નનું રિસેપ્શન ત્રણ દિવસ પહેલા જ 19 એપ્રિલના રોજ કરનાલમાં યોજાયું હતું. વિનયની કાકી માયા દેવીએ જણાવ્યું કે, રિસેપ્શન પછી તરત જ નવપરિણીત યુગલ હનીમૂન પર ગયું. સેક્ટર સાતમાં આવેલું ઘર લગ્નની ખુશીઓથી ભરેલું હતું. મહેમાનો ચાલ્યા ગયા હતા. પરિવારમાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી. ઘરે દાદા હવા સિંહ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત છે. પિતા રાજેશ સેન્ટ્રલ કસ્ટમ્સ વિભાગમાં છે. માતા આશા ગૃહિણી છે. દાદી બીરુ દેવી પણ ગૃહિણી છે. બહેન સૃષ્ટિ વિનય કરતાં નાની છે. 26 વર્ષનો વિનય લગ્ન માટે રજા પર આવ્યો હતો. કાકીએ જણાવ્યું કે પરિવારના સભ્યોને બપોરે સમાચાર મળ્યા કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : Pahalgam માં આર્મી, નેવી અને એરફોર્સનો 1-1 જવાન શહીદ
અન્ય એક પાડોશી સીમાએ જણાવ્યું કે, સ્વર્ગસ્થ અધિકારીના ઘરે ભવ્ય ઉજવણી થઈ હતી અને લગ્ન પછી માત્ર નરવાલ પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર ઉજવણી કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે, નરવાલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં ભારતીય નૌકાદળમાં અધિકારી બન્યા હતા. વિનય નરવાલના પાડોશીએ કહ્યું, નવપરિણીત યુગલ સ્વિટ્ઝર્લૅન્ડમાં હનીમૂનનું આયોજન કરી રહ્યા હતા પરંતુ રજાઓ માટે કાશ્મીર જવાનું નક્કી કર્યું... અમે કલ્પના પણ કરી શકતા નથી કે તેમના પરિવારે શું પસાર કર્યું હશે.
જમ્મૂ કશ્મીરના આતંકી હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યો#JammuAndKashmir #JammuKashmir #BreakingNews #VIralvideo #viralnews #TerroristAttack #terrorist #pahalgam #VTVDigital pic.twitter.com/aM0gsI7iOH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 22, 2025
નોંધનીય છે કે,મંગળવારે (22 એપ્રિલ) ના રોજ લશ્કરી ગણવેશ પહેરેલા આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમને હિન્દુ તરીકે ઓળખ્યા પછી તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે.
JKના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં સત્તાવાર રીતે 26 લોકોના મોતની પુષ્ટિ, મૃતકોમાં મોટા ભાગના લોકો બિન મુસ્લિમ#jammukashmir #Nitinpatel #indianarmy #Pahalgam #PahalgamTerroristAttack #VTVDigital pic.twitter.com/rSqztMn72Z
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 23, 2025
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે હતા અને બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે હતા. હુમલાના થોડા કલાકોમાં જ મંગળવારે રાત્રે અમિત શાહ અહીં પહોંચ્યા અને પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાતે તેમને પરિસ્થિતિ વિશે માહિતી આપી. ગૃહમંત્રીએ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર પણ હાજર રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.