બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલાને લઈ કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી, 5 નિર્ણયો સિવાય પણ કઇંક મોટું થશે ?

અપડેટ / પહેલગામ હુમલાને લઈ કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી, 5 નિર્ણયો સિવાય પણ કઇંક મોટું થશે ?

Published By: Priykant Shrimali

Last Updated: 06:55 AM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ આજે સર્વપક્ષીય બેઠક, કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ માંગ કરી હતી કે, સરકારે આ મુદ્દા પર તમામ પક્ષોની બેઠક બોલાવવી જોઈએ

Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આજે એટલે કે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેની અધ્યક્ષતા કરી શકે છે. સરકાર વતી ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકર સર્વપક્ષીય બેઠકમાં માહિતી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહ અને સિંહ આ મુદ્દે વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ માંગ કરી હતી કે, સરકારે આ મુદ્દા પર તમામ પક્ષોની બેઠક બોલાવવી જોઈએ. મહત્વનું છે કે, ગઈકાલે સાંજે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા. જોકે હવે આજે સર્વપક્ષીય બેઠકના આયોજન વચ્ચે શું કઇંક મોટું થશે કે નહીં ? તે જોવું રહ્યું.

રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબા સમયથી નાગરિકોને નિશાન બનાવતા સૌથી મોટા આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતના 5 મોટા નિર્ણયો

બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક નિર્ણયો લેવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર હાજર હતા. બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં આ નિર્ણયો વિશે માહિતી આપી. સૌથી મોટો નિર્ણય એ લેવામાં આવ્યો કે, ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવામાં આવશે. આ પગલાને કારણે બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં લેવાયેલા બીજા મોટા નિર્ણયમાં ભારતે પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને ભારત-પાકિસ્તાન રાજદ્વારી સંબંધોમાં એક મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. ત્રીજા નિર્ણય હેઠળ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાનને જળ સંસાધનોના સ્તર પર ગંભીર અસરનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો : આતંકી હુમલા બાદ ભારતે કરી સિંધુ સંધિ સ્થગિત, જાણો લાખો પાકિસ્તાનીઓ પાણીના ટીપા માટે કેવી તરસી જશે ?

ચોથા નિર્ણય હેઠળ ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે. પાંચમો અને અંતિમ મોટો નિર્ણય એ છે કે હવે કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા આપવામાં આવશે નહીં. આ પગલું દ્વિપક્ષીય સંબંધોમાં અભૂતપૂર્વ કઠિનતા દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

modi government all party meeting Pahalgam Terror Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ