બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વધુ એક એર સ્ટ્રાઈકની તૈયારી? ભારતીય સેનાના રડાર પર PoKમાં 42 આતંકવાદી કેમ્પ

કવાયત / વધુ એક એર સ્ટ્રાઈકની તૈયારી? ભારતીય સેનાના રડાર પર PoKમાં 42 આતંકવાદી કેમ્પ

Published By: Priykant Shrimali

Last Updated: 08:52 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સુરક્ષાદળો એક્શન મોડમાં, સેનાએ PoKમાં 42 આતંકવાદી કેમ્પોની ઓળખ કરી

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન સેનાએ PoKમાં 42 આતંકવાદી કેમ્પોની ઓળખ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો જરૂર પડશે તો આ કેમ્પોનો નાશ કરવામાં આવશે. આમાં 10 ઉત્તર પીર પંજાલ રેન્જ (કાશ્મીરની બીજી બાજુ PoKમાં) અને 32 દક્ષિણ પીર પંજાલ રેન્જ (જમ્મુની બીજી બાજુ PoKમાં)નો સમાવેશ થાય છે.

PoKમાં 130 લોન્ચ પેડ હોવાની શક્યતા

PoKમાં કુલ 110 થી 130 આતંકવાદી લોન્ચ પેડ હોવાની શક્યતા છે. ઉત્તર પીર પંજાલમાં 30 થી 35 આતંકવાદી લોન્ચ પેડ છે. PoKમાં દક્ષિણ પીર પંજાલ વિસ્તારમાં લગભગ 100 આતંકવાદી લોન્ચ પેડ છે. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) બુધવારે સાંજે બેઠક કરી રહી છે.

PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક

PM મોદી ઉપરાંત સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ , સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. પહેલગામ હુમલા બાદ ભારત કડક કાર્યવાહી કરી શકે છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસ બેઠકમાં પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સિંધુ જળ સંધિ પર પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

વધુ વાંચો : VIDEO : આતંકી હુમલામાં શહીદ પતિ વિનયના તાબૂતને પકડીને હિમાંશી ધ્રુસકે ધ્રુસકે રડી, જોઈને દ્રવી જશો

ભારતને ડરાવી શકાય નહીં: સંરક્ષણ પ્રધાન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે, સરકાર દરેક જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું, આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે. અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામના બૈસરનની મુલાકાત લીધી હતી, જ્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Airstrike Terrorist camps Pahalgam Terror Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ