બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 PM, 23 April 2025
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન સેનાએ PoKમાં 42 આતંકવાદી કેમ્પોની ઓળખ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો જરૂર પડશે તો આ કેમ્પોનો નાશ કરવામાં આવશે. આમાં 10 ઉત્તર પીર પંજાલ રેન્જ (કાશ્મીરની બીજી બાજુ PoKમાં) અને 32 દક્ષિણ પીર પંજાલ રેન્જ (જમ્મુની બીજી બાજુ PoKમાં)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
PoKમાં 130 લોન્ચ પેડ હોવાની શક્યતા
PoKમાં કુલ 110 થી 130 આતંકવાદી લોન્ચ પેડ હોવાની શક્યતા છે. ઉત્તર પીર પંજાલમાં 30 થી 35 આતંકવાદી લોન્ચ પેડ છે. PoKમાં દક્ષિણ પીર પંજાલ વિસ્તારમાં લગભગ 100 આતંકવાદી લોન્ચ પેડ છે. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) બુધવારે સાંજે બેઠક કરી રહી છે.
ADVERTISEMENT
PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક
PM મોદી ઉપરાંત સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ , સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો સમાવેશ થાય છે. પહેલગામ હુમલા બાદ ભારત કડક કાર્યવાહી કરી શકે છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસ બેઠકમાં પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સિંધુ જળ સંધિ પર પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતને ડરાવી શકાય નહીં: સંરક્ષણ પ્રધાન
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે, સરકાર દરેક જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું, આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે. અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામના બૈસરનની મુલાકાત લીધી હતી, જ્યાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.