બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, એજન્સીઓએ 1500 લોકોને અટકાયતમાં લીધા, પૂછપરછ શરૂ

મોટા સમાચાર / પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, એજન્સીઓએ 1500 લોકોને અટકાયતમાં લીધા, પૂછપરછ શરૂ

Published By: Priykant Shrimali

Last Updated: 09:07 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Terror Attack : કાશ્મીર ખીણમાં વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી 1500થી વધુ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા, સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ હવે જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીર ખીણમાં 1500થી વધુ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ લોકોને વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા જેમના નામ ગુપ્તચર વોચ લિસ્ટમાં છે તેનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ હુમલાખોરોને આશ્રય આપનારાઓને શોધવામાં વ્યસ્ત છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.

એવું માનવામાં આવે છે કે, આ મોટા પાયે દરોડા અને ધરપકડ અભિયાનનો હેતુ હુમલા પાછળના નેટવર્ક અને સ્લીપર સેલને શોધવાનો છે. હુમલાખોરોને કોણે આશ્રય આપ્યો, મદદ કરી અથવા હથિયારો પૂરા પાડ્યા તે જાણવા માટે હાલમાં આ બધા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સને જોડીને, દરેક શંકાસ્પદના જોડાણોની તપાસ કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરના ખૂણે-ખૂણે ભારતીય સેનાની બાજનજર

આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે અને ધાર્મિક, રાજકીય અને જાહેર કાર્યક્રમો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદ સામેની આ લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે અને કોઈપણ ષડયંત્રને સફળ થવા દેવામાં આવશે નહીં.

સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની વ્યૂહાત્મક પ્રતિક્રિયા પર ચર્ચા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતી વખતે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે પ્રતિબદ્ધ છે અને આતંકવાદના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

વધુ વાંચો : વધુ એક એર સ્ટ્રાઈકની તૈયારી? ભારતીય સેનાના રડાર પર PoKમાં 42 આતંકવાદી કેમ્પ

TRFએ હુમલાની જવાબદારી લીધી

TRF આતંકવાદીઓ પર સતત પાકિસ્તાનમાંથી તાલીમ અને ભંડોળ મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે TRF એ ખીણમાં રક્તપાત કરાવ્યો હોય. અગાઉ પણ આ સંગઠને ઘણા મોટા આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો છે. TRF ને લશ્કર-એ-તૈયબાનો નવો ચહેરો માનવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય દબાણથી બચવા માટે પાકિસ્તાન દ્વારા 'સ્થાનિક કાશ્મીરી ચળવળ' તરીકે દર્શાવવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Army Terrorist attack Pahalgam Terror Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ