બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Our family shock Arbaaz Khan first statement after attack Salman Khan house

મુંબઈ / અમારો પરિવાર આઘાતમાં... સલમાન ખાનના ઘર પર હુમલા બાદ અરબાઝ ખાનનું પહેલું નિવેદન

Ajit Jadeja

Last Updated: 11:57 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી તેના ચાહકો ચિંતિત છે

Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી તેના ચાહકો ચિંતિત છે. આ ઘટનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ગુરગાઓ સામેલ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દરેક લોકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સલમાનના ચાહકો અને સેલેબ્સે સલમાન ખાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી, જો કે આ ઘટનાને લઈને ઘણા સાચા અને ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, જેના પર સલમાન ખાનના ભાઈ અરબાઝે એક નિવેદન જાહેર કર્યું છે. નોધનીય છે કે રવિવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. સૂત્રોનું કહેવું છે કે સલમાન ફાયરિંગની ઘટના પર ધ્યાન નથી આપવા માંગતા કારણ કે તેમને લાગે છે કે હુમલાખોરનો હેતુ એક્ટરને શાંતીથી ઘરે બેસાડવાનો હતો.

શું કહ્યુ અરબાઝ ખાને

અરબાઝ ખાને ઘરની બહાર ફાયરિંગ પર એક લાંબી નોટ લખી છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 'મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કર્યો, જેના કારણે અમારો પરિવાર ખૂબ જ પરેશાન છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે. કમનસીબે કેટલાક લોકો પરિવારની નજીક હોવાનો દાવો કરી રહ્યા છે અને પ્રવક્તા બનીને મીડિયા સમક્ષ બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે.

 

વધુ વાંચો: એક્ટ્રેસે અન્ય ધર્મના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરતા થઇ ટ્રોલનો શિકાર, કહ્યું 'ટ્રોલિંગે મને વધારે...'

પબ્લિસિટી સ્ટંટ

અરબાઝ ખાને નિવેદનમાં આગળ લખ્યું, 'તેઓ કહી રહ્યા છે કે આ બધો પબ્લિસિટી સ્ટંટ હતો અને તેનાથી પરિવાર પર કોઈ અસર થઈ નથી, જે બિલકુલ યોગ્ય નથી. આવા નિવેદનોને ગંભીરતાથી ન લો. સલીમ ખાનના પરિવારના કોઈ સભ્યએ મીડિયા સમક્ષ જઈને આ ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલ પરિવાર પોલીસને ઘટનાની તપાસમાં સહકાર આપી રહ્યો છે. અમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ છે. અમને ખાતરી આપવામાં આવી છે કે તેઓ પરિવારની સુરક્ષા માટે બધું જ કરશે. તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર.' તમને જણાવી દઈએ કે 'બ્લેક ડીયર કેસ'ના કારણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનથી નારાજ છે અને પોતાને બિશ્નોઈ સમુદાયનો પ્રતિનિધિ માને છે. ગેંગસ્ટર ઈચ્છે છે કે સલમાન ખાન બિશ્નોઈ સમુદાયની માફી માંગે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ