બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું દરેક વ્યક્તિ ઓપન કરાવી શકે છે જન ધન બેંક એકાઉન્ટ? જાણો યોગ્યતા સાથે ફાયદા
Last Updated: 01:07 PM, 12 June 2025
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારના લાયકાત ધરાવતા લોકોના બેંકખાતા વિવિધ બેંકમાં ખોલવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત હવે નવા બેંકએકાઉન્ટ કઈ રીતે ઓપન કરવા, તેની લાયકાત અને પ્રક્રિયા શું છે તે અંગે જાણીશું. જો તમે જનધન ખાતું ખોલાવવા માગતા હોય તો તો શું તમે ખાતું ખોલાવવાની યોગ્યતા ધરાવો છો કે કેમ ? કારણ કે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકતી નથી તથા આમાં જોડાવવાથી કયા પ્રકારના ફાયદા મળે છે.
ADVERTISEMENT

દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકતી નથી
ADVERTISEMENT
કોઈ સરકારી નોકરી ધરાવતા વ્યક્તિ એટલે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં હોય તો તે વ્યક્તિ, સરકારી નોકરીમાંથી રિટાયર્ડ હોય તેવા લોકો, જો તમે ટેક્સ ભરો છો અથવા તમે આર્થિક રીતે સધ્ધર છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
લાયકાત અને લાભ
ADVERTISEMENT
જેની ઉંમર 10 વર્ષથી વધુ છે તેઓ જન ધન ખાતું ખોલાવી શકે છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વીમાનો લાભ ફક્ત 18થી 59 વર્ષની વચ્ચેની વયના લોકોને મળે છે. આ ખાતાધારકોને એક લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો અને મરણ થતાં 30 હજાર રૂપિયાનો જીવન વીમાનો લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : UPIમાં 31 જુલાઇ સુધી બેલેન્સ ચેક કરવું આસાન, પછી બદલાઈ જશે ઘણા નિયમ
ADVERTISEMENT
જનધન ખાતું ખોલવાની પ્રક્રિયા
1 જો તમે આ ખાતું ખોલાવવા લાયકાત ધરાવો છો તો તમારે નજીકની બેંકમાં જવાનું છે. ત્યાં જઈને તમારે સંબધિત કર્મચારી પાસેથી જન ધન ખાતું ખોલાવવાનું ફોર્મ લેવું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો ભરી દેવી.
ADVERTISEMENT
2 આ ભરેલા ફોર્મની સાથે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ અટેચ કરવાની છે. જેમાં તમે આધાર કાર્ડ અને એડ્રેસપ્રૂફ માટેની કોઈ પણ ઝેરોક્ષ લગાવી શકો છો.
ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જરૂર સાથે રાખવા કારણ કે સંબંધિત કર્મચારી આ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ જોયા બાદ તમારું ફોર્મ સ્વીકારશે. ત્યારબાદ તમારું જન ધન ખાતું ખૂલી જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.