બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખાલી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ, પ્રજાના પૈસે સરકારી મોજ!
Last Updated: 10:05 PM, 15 June 2026
એક તરફ સામાન્ય નાગરિકો વધતા વીજબીલના બોજા હેઠળ પીસાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાની કચેરીઓમાં સરકારી વીજળીનો બેફામ વપરાશ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. કચેરીઓ ખાલી હોવા છતાં લાઈટો, પંખાઓ અને એર કન્ડિશનરો ચાલુ રહેતા હોવાના દૃશ્યો ચર્ચાનો વિષય બન્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં અનેક વખત અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં તેમની કેબિનોમાં એસી ચાલુ જોવા મળે છે. ખાસ કરીને મેયર અને ડેપ્યુટી મેયરની કચેરીઓમાં તેઓ હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો ચાલુ રહેતા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT
વિરોધાભાસ એ છે કે કચેરીમાં પોતાના કામ માટે આવતા અરજદારોને ઘણી વખત પંખાની સુવિધા પણ મળતી નથી, જ્યારે અધિકારીઓની કેબિનોમાં સતત ઠંડક જળવાઈ રહે છે. આ સ્થિતિને કારણે જનતા વચ્ચે અસંતોષ ફેલાયો છે અને પ્રજાના કરના પૈસાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ ખુદ મહાનગરપાલિકાના જ જવાબદાર અધિકારીઓ દ્વારા વીજળી બચાવવાના મૂળભૂત નિયમોનું પાલન ન થતું હોય તેવું ચિત્ર સામે આવતાં પ્રશ્નો ઊભા થયા છે.
ADVERTISEMENT
મહાનગરપાલિકાનું સૂત્ર “લોકસેવાયૈ સમર્પિતા:” છે, પરંતુ કચેરીઓમાં જોવા મળતી આ બેદરકારીને કારણે આ સૂત્ર માત્ર દિવાલો પૂરતું જ સીમિત રહી ગયું હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ 'અમારે કોઈ પક્ષની જરૂર નથી', કિસાન રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચે બે ફાંટાઓ પડ્યા
ADVERTISEMENT
સ્થાનિક નાગરિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ સરકારી કચેરીઓમાં ઊર્જા બચતના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. હવે મહાનગરપાલિકા તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.