બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'અમારે કોઈ પક્ષની જરૂર નથી', કિસાન રેલીમાં ખેડૂતો અને કોંગ્રસ વચ્ચે બે ફાટાઓ પડ્યા

ગાંધીનગર / 'અમારે કોઈ પક્ષની જરૂર નથી', કિસાન રેલીમાં ખેડૂતો અને કોંગ્રસ વચ્ચે બે ફાટાઓ પડ્યા

Vishal Khamar

Last Updated: 06:50 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીજ કંપનીઓની દાદાગીરી સામે વિરોધ નોંધાવતા ખેડૂતો ઓગણજ પહોંચ્યા હતા. ખેડૂતોની માંગણીઓને લઈને ટ્રેક્ટર રેલીમાં ફાંટા પડ્યા હતા. ખેડૂતોના ખભે કોંગ્રેસ રાજનીતિ કરતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

વીજ કંપનીઓની દાદાગીરી સામે વિરોધ નોંધાવવા તેમજ દેવા માફી, મફત વીજળી અને જમીન અધિગ્રહણ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો દ્વારા ઓગણજ ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જોકે ખેડૂતોની માગણીઓને લઈને યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન જ આંતરિક મતભેદો સામે આવતા સમગ્ર કાર્યક્રમમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા

ખેડૂતોના પ્રશ્નોને લઈને આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ ખેડૂતોની ઉપસ્થિતિ અપેક્ષા કરતાં ઓછી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન કેટલાક ખેડૂતો દ્વારા કોંગ્રેસ પર ખેડૂતોના ખભે રાજનીતિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના નેતાઓ પર ખેડૂતો સાથે દ્રોહ કરવાનો આરોપ

કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ કોંગ્રેસના નેતાઓ પર ખેડૂતો સાથે દ્રોહ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગાંધીનગર સુધી રેલી લઈ જવાની મંજૂરી ન મળવાની બાબત કોંગ્રેસે ખેડૂતોને અગાઉથી જણાવી નહોતી અને તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા અને ખેડૂતો આગેવાન વચ્ચે બોલાચાલી થઈ

આક્ષેપો વચ્ચે સ્ટેજ પર જ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. બંને વચ્ચે થયેલી જાહેર તકરારે કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બનાવી દીધું હતું.

પાલ આંબલિયાએ શું કહ્યું

જવાબમાં પાલ આંબલિયાએ કહ્યું હતું કે કોઈને ખોટી રીતે ઉશ્કેરીને માર ખવડાવવાનો ધંધો પોતાનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના ઘરે નહીં પરંતુ ખેડૂતના ઘરે જન્મ્યા છે અને તેમની પ્રથમ ફરજ ખેડૂત પ્રત્યે છે, ત્યારબાદ કોંગ્રેસ પ્રત્યે.

આ પણ વાંચોઃ ખેડૂતો ગાંધીનગર તરફ જઈ ન શકે એટલે પોલીસે કર્યું ચોંકાવનારુ કામ, જુઓ વીડિયો

રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વધુ ચર્ચામાં રહ્યા

વિરોધ કાર્યક્રમ દરમિયાન ઉભા થયેલા વિવાદને કારણે ખેડૂતોના પ્રશ્નો કરતાં રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વધુ ચર્ચામાં રહ્યા હતા. હવે આ ઘટનાના પગલે ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો પર શું અસર થશે તે જોવાનું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news power company's bullying
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ