બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:03 PM, 12 December 2025
બ્રિટન દ્વારા 2025 થી અમલમાં મૂકાયેલા નવા ઇમિગ્રેશન નિયમોએ ભારતીય પ્રોફેશનલ્સ, હેલ્થકેર વર્કર્સ, નર્સિંગ સ્ટાફ તેમજ IT ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનોને મોટો ઝટકો આપ્યો છે. વીઝાના નિયમોમાં કડકાઈ સાથે બ્રિટન સરકારે નેટ માઈગ્રેશન ઘટાડવાની નીતિ હેઠળ અનેક બદલાવ કર્યા છે, જેના સીધા પરિણામો હવે ભારતીય અરજદારો પર જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT

ભારતીય હેલ્થકેર સેક્ટર માટે મોટી ચુંટણી એ છે કે હેલ્થ અને કેર વીઝાની સંખ્યા 67% ઘટીને માત્ર 16,606 પર આવી પહોંચી છે. ખાસ કરીને નર્સિંગ પ્રોફેશનમાં વીઝા 79% સુધી ઘટ્યા હોય, તો બ્રિટનમાં કામ કરવાની તૈયારી કરી રહેલા હજારો નર્સો માટે આ આ રહ્યો ભારે આંચકો છે. IT ક્ષેત્ર પણ આ બદલાવથી બચી શક્યું નથી. ટેક પ્રોફેશનલ્સ માટેના વીઝામાં લગભગ 20% ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
બ્રિટન સરકારે કુશળ ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા માટે 22 જુલાઈ 2025 થી નવા કડક માનદંડ લાગુ કર્યા છે. સેલેરી થ્રેશોલ્ડ વધારાયા છે, લૅન્ગ્વેજ પ્રોફિશિયન્સીના નિયમો કડક બનાવાયા છે અને વિવિધ સ્કીલ કેટેગરીને ફરીથી પરિભાષિત કરવામાં આવી છે. એ સાથે, વિદ્યાર્થી અને પોસ્ટ-સ્ટડી વીઝા પર પણ નવા નિયમો લાગુ થયા છે.

ADVERTISEMENT
સ્ટુડન્ટ વીઝા ક્ષેત્રમાં સૌથી મોટો ફેરફાર ગ્રેજ્યુએટ રૂટમાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બે વર્ષની મળી આવતી રહેવાની મંજૂરી 18 મહિનાની કરવાની તૈયારી છે. સાથે જ, ફાઈનાન્સિયલ પ્રૂફ અને અંગ્રેજી ભાષાના માપદંડો પણ વધુ કડક બનાવાયા છે. આથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પૂરું થયા બાદ નોકરી મેળવવાના મોકા ઘટાડાઈ રહ્યા છે. અન્ય એક મહત્વનો ફેરફાર એ છે કે સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે, જેના કારણે large-scale પરિવાર સાથે બ્રિટનમાં અભ્યાસ માટે જવાનું હવે શક્ય નથી રહ્યું.

ADVERTISEMENT
અમુક ક્ષેત્રોમાં આ નિયમોએ ભારતમાં ગંભીર અસર કરી છે. અનેક હોસ્પિટલ્સ, નર્સિંગ ફર્મ્સ અને IT કંપનીઓ માટે UK એક પરંપરાગત ડેસ્ટિનેશન હતું, જ્યાં ભારતીયો માટે રોજગારીની મોટાપાયે તકો ઉપલબ્ધ રહેતી હતી. હવે આ માર્ગ નોંધપાત્ર રીતે સંકુચિત થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ભારત અને બ્રિટન વચ્ચેની વાટાઘાટો ચાલુ છે. 2021ના India–UK Migration and Mobility Partnership Agreement હેઠળ બંને દેશો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે કે કેવી રીતે કુશળ માનવસંસાધનોના અવરજવર માટે નવા રસ્તા ખુલ્લા રાખી શકાય. ભારતે સ્પષ્ટ કર્યું છે કે કુશળ પ્રોફેશનલ્સ માટે સરળ અને પારદર્શક વીઝા સિસ્ટમ બંને દેશોના હિતમાં છે. હાલની સ્થિતિમાં UK વીઝાના પરંપરાગત રસ્તાઓ ઓછા થઈ રહ્યાં છે, પરંતુ કૂટનીતિ સંવાદ અને દ્વિપક્ષીય સહકારના કારણે આવનારા સમયમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે નવા માર્ગો ખુલશે તેવી આશા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.