બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / North Gujarat will be provided irrigation water through canal

રાહત / ખેડૂતો રાજી થશે! આકરા ઉનાળે ઉત્તરગુજરાતને 10 દિવસ માટે અપાશે સિંચાઈ માટે પાણી

Vishnu

Last Updated: 07:58 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે કેબિનેટ બેઠકમાં પીવાના પાણીની લઈને ચર્ચા થઈ, જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકાશે ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કરાઇ ખાસ વ્યવસ્થા

  • ઉત્તર ગુજરાતને કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે
  • 10 દિવસ માટે 1500 ક્યુસેક પાણી સિંચાઈ માટે અપાશે

ઉત્તર ગુજરાતના લોકો માટે મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. શુક્રવારથી કેનાલ મારફતે સિંચાઈનુ પાણી આપવામાં આવશે. 10 દિવસ માટે 1500 ક્યુસેક પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય કરાયો છે. આકરા ઉનાળામાં આ નિર્ણયથી ઘાસચારાને જીવનદાન અપાશે

દાંતીવાડા ડેમમાં હાલ 5 થી 7 ટકા જેટલો જ પાણીનો સંગ્રહ 
ત્યારે થોડા દિવસો અગાઉ VTVની ટીમે બનાસકાંઠા જિલ્લાની પાણીની સ્થિતિને લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં ડેમો તળિયાઝાટક હોવાનું ખૂલ્યું છે. મહત્વનું છે કે બનાસકાઠા જિલ્લો એ રણના સરહદી વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે અને ચોમાસા દરમિયાન આ જિલ્લામાં ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ પડતો હોય છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠામાં કુલ મુખ્ય ત્રણ બે માં આવેલા છે જેમાં દાંતીવાડા સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ડેમો રાજસ્થાનથી નીકળતી નદીઓ માંથી તેમાં પાણી આવતું હોય છે પણ હાલ આ ત્રણેય ડેમો ખાલીખમ જોવા મળી રહ્યા છે ચાલુ વર્ષે બનાસકાંઠા ને રાજસ્થાનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થવાના કારણે દાંતીવાડા માં 5% થી 7 ટકા જેટલું જ પાણી સંગ્રહ થયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ચાલુ વર્ષે શિયાળામાં અને ઉનાળામાં દાંતીવાડા ડેમમાંથી કેનાલ દ્વારા ખેતી માટે દર વર્ષે પાણી આપવામાં આવતું હોય છે પણ આ વર્ષે વરસાદ ન થવાના કારણે ડેમ ખાલી રહેવાના કારણે  પીવા માટે જ પાણી રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેના કારણે દાંતીવાડા ની મુખ્ય કેનાલમાં પાણી ના છોડતા બનાસકાંઠા અને પાટણના ગામડાઓ અને ખેતરોમાં પાણી ન મળવાના કારણે સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે. 

શિપુ ડેમ કોરોધાકોર
શિપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમ એકદમ ખાલી ખમ જોવા મળી રહ્યું છે શિપુ ડેમનું પાણી આજુબાજુના લોકોને ન મળવાના કારણે ડેમ આધારીત ખેતી કરતા લોકો અને ખેડૂતોને પાણી વગર ખેતી કરી શકતા નથી જેના કારણે આ વર્ષે ધાનેરા,ડીસા ,લાખણી જેવા તાલુકાઓમાં પાણી માટે વલખા મારવા પડશે ડેમ બે વર્ષોથી ખાલી ખમ હોવાના કારણે આજુબાજુના પાણીના તળ પણ ખૂબ જ ઊડા જતાં રહ્યા છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે ડેમ ભરવા  પાઇપલાઇન નાખવામાં આવી છે. 

કેબિનેટ બેઠકમાં પીવાના પાણીને લઈ સિંચાઇના પાણીમાં કાપ મુકાયો હતો
બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા પીવાના પાણીની તત્કાળ વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ આગામી ચોમાસુ નબળું હોવાના ભયથી પાણી બચત માટે તથા સિંચાઈના પાણીમાં કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ