બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 09:50 AM, 11 February 2024
Pakistan Politics : આપણાં પાડોશી દેશ પાકિસ્તાનમાં તાજેતરમાં ચૂંટણી થઈ તે તો તમને બધાને ખબર છે, પણ હવે અહીં ચૂંટણી પૂર્ણ થતાં જ હવે પાકિસ્તાન રાજકીય સંકટમાં ફસાયું છે. વાત જાણે એમ છે કે, અહીં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. જેલમાં બંધ ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીમાં સૌથી વધુ બેઠકો જીતી હતી. હવે તેમની પાર્ટીના અધ્યક્ષ ગોહર ખાનને આશા છે કે, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. તેમણે કહ્યું કે, અપક્ષ ધારાસભ્યો પોતાની સ્વતંત્ર સરકાર બનાવશે. આ તરફ PTI ચીફે કહ્યું કે, ઈમરાન ખાન નક્કી કરશે કે પાકિસ્તાનના આગામી PM કોણ હશે. તેમણે ચૂંટણીમાં બહુમતી મેળવવાનો દાવો પણ કર્યો છે.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈમરાન ખાન પોતે જેલમાં છે અને ચૂંટણી લડી શક્યા નથી. કૌભાંડ સંબંધિત મામલાઓમાં દોષિત જાહેર થયા બાદ ઈમરાને તેમની પાર્ટીનું અધ્યક્ષપદ છોડી દીધું હતું અને ગોહર ખાનને પાર્ટીનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું હતું. ઈમરાનના સમર્થક નેતાઓએ સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર PTI દ્વારા સમર્થિત 102 ઉમેદવારોએ ચૂંટણી જીતી છે.
PTI ને મળી છે બહુમતી ?
PTI ચીફ ગોહર ખાને દાવો કર્યો છે કે, ચૂંટણી પંચે પરિણામો જાહેર કર્યા નથી પરંતુ તેમની પાર્ટીને બહુમતી મળી છે. તેમણે કહ્યું કે, અમારો કોઈની સાથે કોઈ ઝઘડો નથી, અમે આગળ વધવા માંગીએ છીએ. ઈસ્લામાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ગોહર ખાને કહ્યું કે, અમે બંધારણ અને કાયદા મુજબ આગળ વધીશું અને સરકાર બનાવીશું. ગોહર ખાને કહ્યું કે લોકોએ મુક્તપણે મતદાન કર્યું. તેમણે કહ્યું કે, અધિકારીઓએ મતોની ગણતરી કરી અને ફોર્મ 45 તૈયાર કર્યું. PTI ના વડાએ કહ્યું કે, પરિણામ ફોર્મ 45 મુજબ જાહેર થવું જોઈએ કારણ કે તેમને તે બધા ફોર્મ મળ્યા છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થા લોકોના અવાજને દબાવવા અને ઇચ્છિત સરકારની રચનાને સહન કરી શકશે નહીં.
અપક્ષ ઉમેદવારો પક્ષને વફાદાર
PTI ચીફે કહ્યું કે અંતિમ પરિણામ આજે રાત્રે 12 વાગ્યા પહેલા જાહેર કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે તેમના અપક્ષ ઉમેદવારો તેમના સંપર્કમાં છે. તેઓ પક્ષને વફાદાર છે અને રહેશે, તેઓ પોતાની સ્વતંત્ર સરકાર બનાવશે. તેમણે કહ્યું કે PTI પ્રક્રિયા પૂર્ણ થયાના 15 દિવસની અંદર પાર્ટીની અંદરની ચૂંટણીઓ યોજશે. જેમ કે પાર્ટીની અંદર ચૂંટણી થશે અને નેતાની પસંદગી થશે.
તો શું હવે અપક્ષોએ પાર્ટીમાં જોડાવું પડશે ?
નિયમો અનુસાર અપક્ષ ઉમેદવારોએ ગેઝેટમાં પાકિસ્તાન ચૂંટણી પરિણામો જાહેર થયાના ત્રણ દિવસની અંદર કોઈપણ પક્ષમાં જોડાવું પડશે. PTI ચીફે કહ્યું કે અપક્ષ સાંસદોએ કઈ પાર્ટીમાં જોડાવું તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ઉદાહરણ તરીકે તેમણે કોઈ પક્ષ બનાવવાની વાત કરી નથી પરંતુ નિયમ કહે છે કે જો અપક્ષ સાંસદો ઈચ્છે તો તેઓ પોતાનું જૂથ બનાવી શકે છે. નોંધનિય છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ગહર ખાને દાવો કર્યો છે કે, ચૂંટણીમાં PTI 170 બેઠકો જીતશે. તેમણે દાવો કર્યો હતો કે, ખૈબર પખ્તુનખ્વામાં 39માંથી 35 બેઠકો PTI સમર્થિત ઉમેદવારોએ જીતી છે. તેમણે કહ્યું કે PTI માત્ર કેન્દ્રમાં જ નહીં પરંતુ પંજાબમાં પણ સરકાર બનાવશે.
વધુ વાંચો: પાકિસ્તાનમાં પેચ ફસાયો: PMની ખુરશી માટે બે દિગ્ગજોનો દાવ, સેના જ કરશે અસલ ખેલ!
પાકિસ્તાનની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળી?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નવાઝ શરીફની પાર્ટી PML-Nએ નેશનલ એસેમ્બલીમાં 73 સીટો જીતી છે. જ્યારે PTIએ સૌથી વધુ 102 સીટો, PPP 54 અને MQM 17 સીટો જીતી છે. કેટલીક બેઠકો નાના પક્ષોને ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાટાઘાટો ચાલી રહી છે અને પીએમએલ-એન અને પીપીપી વચ્ચે ગઠબંધન પર અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે, જેની પાસે કુલ 127 બેઠકો છે અને બહુમતીનો આંકડો 133 બેઠકો છે. કેટલાક નાના પક્ષો પણ નવાઝ શરીફના સમર્થનમાં છે. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય લડાઈમાં કોણ જીતે છે અને પાકિસ્તાનમાં આગામી સરકાર કોણ બનાવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime