બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Nitin Patel big announcement for farmers, Farmers will get irrigation water

પાણીઘટ / નીતિન પટેલની ખેડૂતો માટે મોટી જાહેરાત, વરસાદ ખેંચાતા ખેડૂતોને માથે હતું સંકટ

Published By: Vishnu

Last Updated: 08:01 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામૂલો પાક પાણી વિના મુરઝાઈ જાય તેમ છે. સરકારની આ જાહેરાતથી ખેડૂતોને મોટો ફાયદો થાય તેમ છે

  • ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો
  • ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો
  • નર્મદા ડેમમાંથી 3 હજાર ક્યુસેક મીટર પાણી છોડાશે:નીતિન પટેલ
  • મધ્ય ગુજરાતનાં ખેડૂતો અપાશે કેનાલનું પાણી
  • ખેડા, આણંદ,અમદાવાદના ખેડૂતોને થશે લાભ

રાજ્યમાં ક્યાંક વરસાદ થયો પરંતુ ક્યાંક વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચતા ખેડૂતો પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે, અનેક જગ્યાએ વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. જગતનો તાત હવે સરકાર પાસે પાણી છોડવા આજીજી કરી રહ્યો છે. સામે સરકાર પણ ખેડૂતોની વ્યથા સમજી પાણી છોડવા અંગે મોટો નિર્ણય કર્યો છે.

સરકારે કરી ખેડૂતો માટે મોટી જાહેરાત

ખેડૂતોનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે, ત્યારે કોરોના કાળ બાદ ખેડૂતોની માઠી દશા જોતાં સરકાર તરફથી નીતિનભાઈ પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પાણીની તંગીનો સામનો કરી રહેલા મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની જાહેરાત કરી છે.નર્મદા, કડાણા ડેમમાંથી ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતનાં ખેડા આણદ અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. નર્મદા ડેમ માંથી પાણીનો જથ્થો મર્યાદિત હોવા છતાં પણ તેમાંથી 3 હજાર ક્યુસેક લિટર પાણી ખેડૂતોને અપાશે 1 લાખ 60 હેકટરમાં આવેલા પાકોને સરકારની આ જાહેરાતથી ફાયદો થશે. ખેડૂતોની માંગણીને સંતોષવા માટે સિંચાઇનું પાણી અપાશે...કટોકટીનો સમય હોવા છતાં ખેડૂતોને પાણી આપવાનું નક્કી કર્યું છે..ખેડા, આણંદ અને અમદાવાદના ખેડૂતોને પાણી અપાશે..અન્ય જિલ્લામા પણ જ્યાં ખેડૂતોને પાણીની ખેંચ વર્તાઇ રહી છે. ત્યાં પણ આવનાર દિવસોમા સરકાર પાણી છોડવા વિચાર કરી શકે છે. 

રાજકોટમાં આજી ડેમ ખાલી થવાને આરે
તો આ તરફ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યાનો ભય છે. જો હજુ પણ વરસાદ ન પડે તો રાજકોટમા પીવા પાણીની આવનાર સમયમાં ભયંકર તંગી સજાઈ શકે છે.આજીમાં 15 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે. આજી-1માં 350 મિલિયન ક્યૂબિક ફિટ,  ન્યારી-1 માં 615 MCFT પાણી છે. હાલમાં ભાદર-1 માં એક હજાર 576 મિલિયન ક્યૂબિક ફિટ પાણીનો જથ્થો છે. રાજકોટને વર્તમાન સમયમાં રોજ 326 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. આજી માટે નર્મદા નીરની માંગણી માટે મનપાએ કવાયત હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Narmada canal Nitin Patel Water Shortage agriculture farmer gandhinagar ખેડૂતો ગાંધીનગર નીતિન પટેલ પાણીની ઘટ રાહત Shortage of water

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ