બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / નિલેશભાઈ પટેલની છઠ્ઠી પુણ્યતિથિ: ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વની પ્રેરણાદાયી સફરને ભાવભીની શ્રદ્ધાંજલિ
Last Updated: 07:00 AM, 16 August 2026
ADVERTISEMENT
ખાદ્ય તેલ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુ સમય સુધી સક્રિય રહેલા શ્રી. નિલેશભાઈ પટેલ વ્યવસાયના ઓપરેશન્સથી લઈને માર્કેટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ, આવક વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ અને માર્કેટ વિસ્તરણ સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પડકારો સામે અટકી જવાને બદલે ઉકેલ શોધીને આગળ વધવાની તેમની ‘Can Do’ વિચારસરણી તેમની કાર્યશૈલીની આગવી ઓળખ બની હતી.
શ્રી. નિલેશભાઈ પટેલ એ તેમના ભાઈ શ્રી. નિમિષભાઈ પટેલ સાથે મળીને N.K. Proteinsના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમની દૂરંદેશી વિચારસરણી અને સતત મહેનતથી સંસ્થાએ ખાદ્ય તેલ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી. આ જ સફર સાથે Tirupati Edible Oils બ્રાન્ડનો વિકાસ પણ જોડાયેલો રહ્યો.
ADVERTISEMENT
શ્રી. નિલેશભાઈ પટેલ માટે બ્રાન્ડ માત્ર ઉત્પાદનનું નામ નહોતું. ગ્રાહકનો વિશ્વાસ અને લાંબા ગાળાનો સંબંધ તેમની બિઝનેસ વિચારસરણીના કેન્દ્રમાં હતો. ગુણવત્તા, સતત સુધારો અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે Tirupati Edible Oilsને બજારમાં વધુ મજબૂત બનાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
ADVERTISEMENT
તેમની નેતૃત્વશૈલીમાં ટીમને સાથે લઈને આગળ વધવાને વિશેષ મહત્વ હતું. કર્મચારીઓના વિચારો અને સૂચનો સાંભળવા, તેમને આગળ વધવા પ્રોત્સાહિત કરવા અને સતત શીખવાની સંસ્કૃતિ ઊભી કરવા તેઓ વિશેષ માનતા હતા.
ADVERTISEMENT
શ્રી. નિલેશભાઈ પટેલ ના નેતૃત્વકાળ દરમિયાન N.K. Proteinsએ અનેક મહત્વપૂર્ણ સીમાચિહ્નો હાંસલ કર્યા હતા. વર્ષ 2011માં કંપનીને Globoil Award – Emerging Company of the Yearથી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત Tirupati Edible Oilsને Power Brands Rising Star તરીકે પણ માન્યતા મળી હતી.
ખાદ્ય તેલ ક્ષેત્ર ઉપરાંત કંપનીએ Castor Oil અને Castor Oil Derivatives જેવા ક્ષેત્રોમાં પણ કામગીરીનો વિસ્તાર કર્યો અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પોતાની પહોંચ સ્થાપિત કરી.
ADVERTISEMENT
શ્રી. નિલેશભાઈ પટેલ સાથે જોડાયેલું ‘Excel to Exceed’ સૂત્ર તેમની કાર્યદૃષ્ટિને સ્પષ્ટ રીતે દર્શાવતું હતું. તેમના માટે સફળતા જ લક્ષ્ય નહોતી. ઉત્પાદન હોય, ટીમ હોય કે બિઝનેસ પ્રક્રિયા—દરેક ક્ષેત્રમાં સતત સુધારો કરવો એ જ આગળ વધવાનો માર્ગ હતો.
ADVERTISEMENT
તેમનો વિશ્વાસ હતો કે મજબૂત સંસ્થા માત્ર સારા બિઝનેસથી નહીં, પરંતુ મજબૂત લોકો, વિશ્વાસ અને મૂલ્યોના આધારે ઊભી થાય છે.
શ્રી. નિલેશભાઈ પટેલ ની વિદાયને છ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ સંસ્થાના નિર્માણમાં તેમનું યોગદાન અને તેમની કાર્યશૈલી આજે પણ તેમની સાથે જોડાયેલા લોકો માટે પ્રેરણારૂપ છે.
તેમણે ઊભો કરેલો સંસ્થાકીય પાયો આજે પણ આગળની પેઢી માટે માર્ગદર્શક બની રહ્યો છે. વ્યવસાયિક સફળતા સાથે ટીમમાં વિશ્વાસ, ગ્રાહક પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાનું વિઝન—આ તેમના વારસાની સૌથી મોટી ઓળખ બની છે.
શ્રી. નિલેશભાઈ પટેલ એ પોતાની જીવનલીલા ભલે તેમણે સંકેલી લીધી,, પરંતુ તેમણે ઊભો કરેલો વારસો આજે પણ આગળ વધી રહ્યો છે.
શ્રી. નિલેશભાઈ પટેલ ની છઠ્ઠી પુણ્યતિથિએ તેમની સફર અને યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.