બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણના માધવીપુર ગામના ખેડૂતો પર આભ ફાટ્યું, 1800 વીઘાની મગફળીનો પાક ફેલ થયો

ચિંતિત / જસદણના માધવીપુર ગામના ખેડૂતો પર આભ ફાટ્યું, 1800 વીઘાની મગફળીનો પાક ફેલ થયો

Published By: Vishal Khamar
Reported By: Kalu Rathod

Last Updated: 11:05 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણના માધવીપુર ગામમાં અંદાજે 1800 વીઘા જેટલા મોટા પાયે કરાયેલા મગફળીના વાવેતરમાં 'પીળિયો' રોગ ફાટી નીકળતા છોડનો વિકાસ અટકી જવાને કારણે મગફળી નિષ્ફળ નીવડી છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

જસદણના માધવીપુર ગામમા 1800 વિઘાના વાવેતરની મગફળીમા પીળીયો રોગ આવતા મગફળી ફેલ થતા ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જાતે જ પોતાની વાડીમાં મગફળી ઉપાડવાનું ચાલુ કર્યુ છે. લગભગ 50% જેટલા ખેડૂતોએ મગફળી કાઢી અને બીજુ વાવેતર કરી દીધું અને બીજા ખેડૂતો મગફળી જાતે જ કાઢી રહ્યા છે.

1800 વિઘા જેટલું મગફળીનું વાવેતર અંદાજે કરવામાં આવ્યું

જસદણના માધવીપુર ગામના ખેડૂતો દ્વારા 1800 વિઘા જેટલું મગફળીનું વાવેતર અંદાજે કરવામાં આવ્યું હતું પણ આ મગફળીમાં પીળીયો રોગ આવી ગયો. પીળિયો રોગ એટલે મગફળી પીળી પડી જાય તેમજ મગફળીનો વિકાસ ન થાય છોડવા ઉપાડો તો એમાં મગફળી હોય એવું દેખાય જ નહીં અમુક ટકા જ મગફળી દેખાયએ પણ નાની નાની ખેડૂતોને ખબર પડી ગઈ કે મગફળી ઉગવાની નથી. તો પછી મગફળી ઉપાડી લઈએ અને તાત્કાલિક બીજું વાવેતર કરી દઈએ લગભગ 50 ટકા જેટલી મગફળી ગામના ખેડૂતોએ પોતાની વાડીમાંથી ઉપાડી લીધેલી અને 50% જેટલા બાકી છે. તે અત્યારે મગફળી ઉપાડવાનું કામ કરી રહ્યા છે.

મગફળીનું વાવેતર ફેલ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા

મગફળીનું વાવેતર ફેલ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભાગમાં વાવવા મગફળી આપી હોય તે ભાગ્યાનુ શુ તેનો પણ ખેડૂત વિચાર કરી રહ્યા છે. મહિલા ખેડૂત ચંપાબેન કામાણી પોતાની વાડીએ મગફળીમાં બેસી અને જાણે કુદરત સાથે વાત કરતા હોય કુદરતને મીઠો ઠપકો આપતા હોય તેઓ વલોપાત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ આ માધવીપુર ગામમા 100 વિધાની મગફળી આ રોગના કારણે ફેલ થઈ હતી. ખેડૂતો વાડીમાં સનેડા થી રાપ મારી મગફળી કાઢવા લાગ્યા છે. અમુક ખેડૂતો જાત મહેનત જિંદાબાદ જાતેજ મગફળી ઉપાડી ટેક્ટરમા ભરી માલ ઢોરને ખવડાવી દીએ છે.

આ પણ વાંચોઃ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરમાં સિક્યોરિટી અને ભક્તો વચ્ચે મારામારી, વીડિયો થયો વાયરલ

ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા

ખેડૂતોની સરકાર પાસે એવી અપેક્ષા છે કે આપના ખેતીવાડી વિભાગના તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ માધવીપુર ગામમાં આવે ખેડૂતની વાડીએ ખેડૂતની મુલાકાત લે મગફળીમાં પીળીયો રોગ આવવા પાછળનું કારણ શું છે તેનું સંશોધન કરે ખેડૂતની વાડીમાં વાવેતરનું સર્વે કરે અને જો યોગ્ય લાગે તો ખેડૂતને સહાય કરે આવી માંગણી સાથે ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે. અત્યારે હાલ તો ખેડૂત પોતાની વાડીમાંથી ફેલ થયેલ મગફળીને ઉપાડી અને બીજું વાવેતર કરી રહ્યા છે. કોઈ ખેડૂતને 20 વિધાની મગફળી ફેલ થઈ છે કોઈ ને 12 વિઘા કોઈને 15 વિઘાની બધા ખેડૂતો મગફળી ઉપાડી અને બીજું વાવેતર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર દ્વારા ક્યારે સર્વ કરવામાં આવશે અને સર્વ કર્યા બાદ શું ખેડૂતોનેને નુકશાનીની ભરપાઈ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

groundnut yellow disease Jasdan groundnut disease Madhavipur groundnut crop

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ